GPSના ભરોસે ચાલી રહેલી કાર પુલ પરથી નદીમાં ખાબકી, 3ના મોત

November 25, 2024

હાલના ટેક્નોલોજી વાળા યુગમાં તમામ લોકો સરળતાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પોતાની તમામ જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય કામ કરે છે. ત્યારે કોઈ અજાણી જગ્યા પર પહોંચવા માટે પણ મોટાભાગે લોકો GPS સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે.

જો કે GPS સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ બની શકે છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. GPSમાં બતાવી રહેલા રોડ પર એક કાર અકસ્માતનો શિકાર બની છે. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલી કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસમાં બતાવી રહેલા રસ્તા પર જ જઈ રહી હતી.

અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે રવિવારે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો. ખાલપુર-દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગ્યે આ અકસ્માત થયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા.