Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

GPSના ભરોસે ચાલી રહેલી કાર પુલ પરથી નદીમાં ખાબકી, 3ના મોત

November 25, 2024

હાલના ટેક્નોલોજી વાળા યુગમાં તમામ લોકો સરળતાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પોતાની તમામ જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય કામ કરે છે. ત્યારે કોઈ અજાણી જગ્યા પર પહોંચવા માટે પણ મોટાભાગે લોકો GPS સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે.

જો કે GPS સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો પ્રયત્ન કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ બની શકે છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો છે. GPSમાં બતાવી રહેલા રોડ પર એક કાર અકસ્માતનો શિકાર બની છે. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલી કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસમાં બતાવી રહેલા રસ્તા પર જ જઈ રહી હતી.

અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે રવિવારે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો. ખાલપુર-દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગ્યે આ અકસ્માત થયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા.