ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
October 14, 2025
હિન્દુ પંચાંગ પ્રમાણે ધનતેરસનો તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.
આ પણ વાંચો: ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ
આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ માટે ઘરની બહાર દીવો પ્રગટાવવામાં આવે છે, જેને યમદીપક કહેવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે, ધનતેરસ પર શુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. તો ચાલો તે વસ્તુઓ વિશે જાણીએ.
ધનતેરસ પર આ સસ્તી વસ્તુઓ ખરીદવી જ જોઈએ
લોકો ઘણીવાર ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસ પર કેટલીક સસ્તી વસ્તુઓ ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે? ચાલો તેમના વિશે જાણીએ.
1. સાવરણી
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં પવિત્રતા, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
2. લક્ષ્મી ચરણ
ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મીજીના ચરણ લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી ચરણની રાખવાછી નાણાકીય સમસ્યાઓ થાય છે અને દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.
3. લક્ષ્મી-ગણેશની મૂર્તિ
ધનતેરસના દિવસે માટીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે, અને દિવાળી પૂજા દરમિયાન તેમને સ્થાપિત કરવાથી તમામ મુશ્કેલીો દૂર થાય છે.
4. ધાણાના બીજ
ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો માત્ર 5 રૂપિયામાં ધાણા પણ ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે પૂજા રૂમમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે. દિવાળી પૂજાના દિવસે દેવી લક્ષ્મીને આ બીજ અર્પણ કરવાથી ધન વૃદ્ધિની શક્યતા રહે છે.
Related Articles
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જા...
Feb 07, 2026
Trending NEWS
13 March, 2026
13 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026