વિદેશી સંપત્તિ, આવકનો ખુલાસો નહીં કરો તો રૂપિયા 10 લાખનો દંડ થશે!

November 18, 2024

આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે.

આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે