Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

વિદેશી સંપત્તિ, આવકનો ખુલાસો નહીં કરો તો રૂપિયા 10 લાખનો દંડ થશે!

November 18, 2024

આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે.

આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે