Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

વિદેશી સંપત્તિ, આવકનો ખુલાસો નહીં કરો તો રૂપિયા 10 લાખનો દંડ થશે!

November 18, 2024

આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે.

આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે