Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી

January 20, 2025

યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇભક્તો ટહેલ કરવામાં આવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રવિવારના રોજ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી.

આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, નડિયાદના નિવૃત શિક્ષક મધુકર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા અને દાન આપ્યું હતું. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી. તેમણે સહ પરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.