Breaking News :
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા, 10થી વધુ ઈજાગ્રસ્ત બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝીંકી હત્યા, શંકાના આધારે 5 આરોપીની ધરપકડ

અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી

January 20, 2025

યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇભક્તો ટહેલ કરવામાં આવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રવિવારના રોજ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી.

આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, નડિયાદના નિવૃત શિક્ષક મધુકર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા અને દાન આપ્યું હતું. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી. તેમણે સહ પરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.