નવરાત્રિમાં ગજરાજ પર સવાર થઈ આવશે મા દુર્ગા, હસ્ત નક્ષત્રમાં થશે ઘટસ્થાપના; જાણો મુહૂર્ત
September 01, 2025
આસો માસની નવરાત્રિને શારદીય નવરાત્રિ પણ કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 9 દિવસના બદલે 10 દિવસની રહેશે અને ખૂબ જ સારા યોગમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ભક્તો નવરાત્રિમાં માં દુર્ગાની આરાધના કરવા માટે 10 દિવસ પૂરા મળશે. તિથિ વધવાથી નવરાત્રિના દિવસ વધતા 10 દિવસની નવરાત્રિ હોવી શુભ માનવામાં આવે છે.
22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રિ
આ વર્ષ શારદીય નવરાત્રિની શરુઆત 22 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વર્ષે ત્રીજની તિથિમાં વધારો થવાના કારણે 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસોમાં ત્રીજ ગણવામાં આવશે. જેના કારણે નવરાત્રિ 9 દિવસની જગ્યાએ 10 દિવસની રહેશે. નવરાત્રિ 1 ઓક્ટોબર સુધી ચાલશે અને 2 ઓક્ટોબરના રોજ દશેરા મનાવવામાં આવશે.
2 ઓક્ટોબરના રોજ દશેરા મનાવવામાં આવશે
આ વર્ષે નવરાત્રિની આઠમ 30 સપ્ટેમ્બરના રોજ મહાનવમી 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે માં દુર્ગાને વિદાય આપવામાં આવશે, આ દિવસે માં દુર્ગાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.
શારદીય નવરાત્રિનું ઘટસ્થાપના મુહૂર્ત
આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 1.24 વાગ્યાથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 2.55 વાગ્યા સુધી રહેશે. ચાલશે. 22 સપ્ટેમ્બરના રોજ ઉદયતિથિના આધારે નવરાત્રિ શરૂ થશે. તે જ દિવસે સવારે 11.55 વાગ્યા પછી હસ્ત નક્ષત્ર હશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના ઘટસ્થાપન માટે 3 શુભ મુહૂર્ત
અમૃત મુહૂર્ત: સવારે 6.19 થી 7.49 વાગ્યા સુધી
શુભ મુહૂર્ત: સવારે 9.14થી 10.49 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત: સવારે 11.55થી 12.43 વાગ્યા સુધી
માતાની સવારી
શારદીય નવરાત્રિમાં માતાનું આગમન ગજરાજ પર થશે અને પ્રસ્થાન માનવના ખભા પર થશે. મા દુર્ગાનું હાથીની સવારી પર આગમન સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. તો, માનવ ખભા પર પ્રસ્થાન પણ શુભ માનવામાં આવે છે. આનાથી વ્યવસાયમાં વધારો થશે, સંબંધોમાં સુધારો થશે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025