ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિયામાં સ્થપાશે સહિયારી ફેક્ટરી

April 29, 2026

ભારતમાં યુરિયાની અછતને દૂર કરવા અને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ભારત અને રશિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. બંને દેશો મળીને રશિયાના સમારામાં એક વિશાળ ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે અને વાર્ષિક 20 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.

હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 71 ટકા યુરિયા મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે આયાત પર અસર પડી છે, જેના ઉકેલ માટે રશિયા સાથે આ કરાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ શરૂ થવાથી ભારતની યુરિયાની મહત્તમ જરૂરિયાત સંતોષાશે અને આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.