17 સપ્ટેમ્બરે ઈન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો ઉપાય અને શુભ મુહૂર્ત
September 16, 2025
ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરે છે અને મૃત્યુ પછી આત્માને ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે. આ વ્રત પૂર્વજોને નરકમાંથી મુક્ત કરે છે અને તેમને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂર્વજોને તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે.
વૈદિક પંચાંગ પ્રમાણે ઇન્દિરા એકાદશીની તિથિ તા. 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિના 12.21 થી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.39 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ પ્રમાણે ઇન્દિરા એકાદશી વ્રત 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે.
તો પંચાંગમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે અભિજીત મુહૂર્ત નહીં હોય, જ્યારે રાહુકાલ બપોરે 12.15 થી 1.47 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ. ઇન્દિરા એકાદશી વ્રતનો પારણા સમય 18 સપ્ટેમ્બરના રોજ સવારે 06.07થી 08.34 સુધીનો છે.
પદ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે, આ વ્રત રાખવાથી કન્યાદાન અને હજારો વર્ષોની તપસ્યા કરતાં પણ વધુ પુણ્ય મળે છે, જે ઉપવાસ કરનારને મોક્ષ અપાવે છે.
આ સાથે ઈન્દિરા એકાદશી પર પિતૃઓને પ્રસન્ન કરવા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો કરી શકાય છે, જેમાં દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એક કાળા કપડામાં કાળા તલ અને દાળ મુકીને ગાયને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી અને પરિક્રમા કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
ઇન્દિરા એકાદશી પર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવાથી પૂર્વજોના આત્માઓને શાંતિ મળે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને ઘી, દૂધ, દહીં અને ચોખાનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ પવિત્ર દિવસ પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. ભક્તિભાવથી આ વ્રત રાખવાથી પૂર્વજોને મુક્તિ મળે છે, તેમજ ઉપવાસ રાખનારનું જીવન પણ સમૃદ્ધ બને છે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025