Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ઝાંસી અગ્નિકાંડ મામલે તપાસ બાદ ફરી તપાસ શરૂ, હજી FIR પણ નથી થઈ

November 19, 2024

ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં અગ્નિકાંડની ઘટના બની તેના 8 કલાક પછી પણ કોઈ એફઆઇઆર દાખલ નથી થઈ. તે ઉપરાંત આ ઘટનાને મુદ્દે હોસ્પિટલના કોઈ કર્મચારીની જવાબદારી પણ નક્કી નથી થઈ. ઘટનાની એક તપાસ પૂરી થઈ ચૂકી છે. પરંતુ અન્ય તપાસો હજી ચાલી રહી છે.

મેડિકલ કોલજના એસએનસીયૂ વોર્ડમાં શુક્રવારે રાતે ભીષણ આગ લાગી હતી. ઘટનાએ 10 નવજાત બાળકોનો ભોગ લીધો હતો. તે પછી રવિવારે એક અને તે પછી સોમવારે એક નવજાતનું મૃત્યુ થયું હતું. એમ કુલ 12 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક તપાસ અહેવાલ સત્તાવાળા સુધી પહોંચી ચૂક્યો છે.આરોગ્ય મહાનિદેશકના નેતૃત્વમાં એક ઉચ્ચ કક્ષાની ટીમે સોમવારે આવીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસના આ દોર વચ્ચે ઘટના સંબંધી કેસ દાખલ થઈ શક્યો નથી.

તે ઉપરાંત મેડિકલ કોલજના કોઈ કર્મચારી, અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિની જવાબદારી પણ નક્કી નથી શકી. લખનઉથી દિલ્હી સુધી આ કેસની ગુંજ હોવા છતાં આ સ્થિતિ છે. વિરોધપક્ષોએ નવજાત શિશુના મૃત્યુકેસને મુદ્દો બનાવી લીધો છે. તેઓ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે.

મેડિકલ કોલેજમાં આગથી બચાવ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. ફેબ્રુઆરીમાં આવેલા ફાયર ઓડિટ રિપોર્ટે તે વાતને સમર્થન આપ્યું છે. આ ખામીઓને દૂર કરવા કોલેજ વહીવટીતંત્રે સત્તાવાળાને રૂપિયા 1 કરોડની દરખાસ્ત પાઠવી હતી.

ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં અગ્નિકાંડની ઘટના બની તેના 8 કલાક પછી પણ કોઈ એફઆઇઆર દાખલ નથી થઈ. તે ઉપરાંત આ ઘટનાને મુદ્દે હોસ્પિટલના કોઈ કર્મચારીની જવાબદારી પણ નક્કી નથી થઈ. ઘટનાની એક તપાસ પૂરી થઈ ચૂકી છે. પરંતુ અન્ય તપાસો હજી ચાલી રહી છે.

મેડિકલ કોલજના એસએનસીયૂ વોર્ડમાં શુક્રવારે રાતે ભીષણ આગ લાગી હતી. ઘટનાએ 10 નવજાત બાળકોનો ભોગ લીધો હતો. તે પછી રવિવારે એક અને તે પછી સોમવારે એક નવજાતનું મૃત્યુ થયું હતું. એમ કુલ 12 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક તપાસ અહેવાલ સત્તાવાળા સુધી પહોંચી ચૂક્યો છે.આરોગ્ય મહાનિદેશકના નેતૃત્વમાં એક ઉચ્ચ કક્ષાની ટીમે સોમવારે આવીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસના આ દોર વચ્ચે ઘટના સંબંધી કેસ દાખલ થઈ શક્યો નથી.

તે ઉપરાંત મેડિકલ કોલજના કોઈ કર્મચારી, અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિની જવાબદારી પણ નક્કી નથી શકી. લખનઉથી દિલ્હી સુધી આ કેસની ગુંજ હોવા છતાં આ સ્થિતિ છે. વિરોધપક્ષોએ નવજાત શિશુના મૃત્યુકેસને મુદ્દો બનાવી લીધો છે. તેઓ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે.

મેડિકલ કોલેજમાં આગથી બચાવ માટે પૂરતી વ્યવસ્થા નહોતી. ફેબ્રુઆરીમાં આવેલા ફાયર ઓડિટ રિપોર્ટે તે વાતને સમર્થન આપ્યું છે. આ ખામીઓને દૂર કરવા કોલેજ વહીવટીતંત્રે સત્તાવાળાને રૂપિયા 1 કરોડની દરખાસ્ત પાઠવી હતી.