Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન

September 26, 2025

લદાખ : પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો સમાવેશ કરવાની માંગ સાથે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. હિંસામાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોનએ આંદોલન દરમિયાન મોતને ભેટલા લોકો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લદ્દાખના લોકો તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે.' સજ્જાદ લોને કહ્યું કે, 'હું કોઈ પણ શરત વગર સત્ય કહેવા માંગુ છું. અહીં જે કંઈ થઈ રહ્યું છે તે પોતાના જ કર્મોનું ફળ છે. જે વ્યક્તિ વિચાર્યા વિના સોદો કરે છે તેને પાછળથી પસ્તાવો થાય છે, તેવી જ રીતે દરેકને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે.

આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેનાથી તેઓ એવા ખરીદદાર બની ગયા છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું ત્યારે પોતે ખુશ હતા એમ કહીને લોને પોતાની ખુશીનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, 'અનામતના નામે તેઓ (લદ્દાખના લોકો) અમારી નોકરીઓ લઈ લેશે. તેઓ અમને પરેશાન કરશે. વળી, તેઓ અમારા લોકોને લદ્દાખમાં કામ પણ નહીં કરવા દે. તેમની પાસે હિલ કાઉન્સિલ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર તરીકે અમારું તેમના પર કોઈ નિયંત્રણ જ નથી. લદ્દાખ એક ખૂબ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં ફક્ત ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક છે, તેમ છતાં લદ્દાખ સમસ્યા ઊભી કરનારું છે. કેન્દ્ર સરકાર લદ્દાખનો ઉપયોગ કાશ્મીરીઓને પરેશાન કરવા માટે કરે છે.'