માફિયા અતીકે દિલ્હીમાં ખરીદી હતી 100 કરોડની પ્રોપર્ટી, STFનો ખુલાસો

April 30, 2023

લખનઉ : ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની હત્યા બાદ દરરોજ એકથી વધુ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ મામલે નવા સમાચાર એ છે કે અતીકે દિલ્હીમાં એક નેતાની મદદથી 100 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી. અતીક-અશરફ મર્ડર કેસની તપાસ કરી રહેલી STFને તેના સંબંધિત કેટલાક પુરાવા મળ્યા છે.

એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીકે દિલ્હીના શાહીનબાગ-બાટલા હાઉસમાં 100 કરોડની મિલકત ખરીદી હતી, જે માત્ર માફિયાના નજીકના સંબંધીઓને જ જાણ હતી. એટલું જ નહીં, અતીકે આ પ્રોપર્ટી એક રાજનેતાની મદદથી ખરીદી હતી. સૂત્રોનું માનીએ તો નેતાના બંને પુત્રો અતીક અહેમદના પુત્રો અસદ, અલી અને ઉમર સાથે મિત્રો હતા. અતીકના પુત્રો ઉમર અને અલીએ ઘણી વખત દિલ્હીમાં નેતાના ઘરે આશ્રય લીધો હતો.