Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાશે મહાકુંભ

November 23, 2024

સંગમનગરી પ્રયાગરાજમાં આગામી વર્ષની શરૂઆતમાં મહાકુંભ 2025નું ભવ્ય આયોજન થવાનું છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકાર આ આયોજનને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભ પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને તેનું સમાપન મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ થશે.

મહાકુંભ 2025માં શાહી સ્નાનની 6 તારીખ હશે, જેમાં સાધુ-સંતોના અખાડા સદીઓ જૂની ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. મહાકુંભમાં સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતાની સાથે આ આયોજનની સુંદરતા માટે પણ મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ સ્થળોએ ગ્રીન બેલ્ટ, બાગાયત, થીમેટિક ડેવલપમેન્ટ સહિતના સેંકડો સ્તંભ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય વાત એ છે કે, મહાકુંભ 2025નું આયોજન અમૃત કાળ દરમિયાન થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબિત કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ₹2,600 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. આ બજેટ મુજબ નવા બાંધકામ, સમારકામ, ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક અને સુરક્ષાને લગતા 6,000 પ્રોજેક્ટ્સ પર અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.