મોહમ્મદ યુનુસે PM મોદીને મળવા એપોઈન્ટમેન્ટ માગી, ભારતે ન આપ્યો ભાવ,

March 23, 2025

વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે બંને નેતાઓની મુલાકાત કરાવવા માટે ભારતને વિનંતી કરી છે.
જયશંકરે સંસદીય સમિતિની બેઠકમાં કહ્યું કે, BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક યોજવા વિનંતી મળતા વિચારણા કરવામાં આવી રહી છે.’ આ વર્ષે સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠક યોજાઈ છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હેઠક સમિતિના સભ્યોએ પૂછ્યું છે કે, હિન્દુઓ પર અત્યાચાર મામલે ભારતે શું પગલા ભરી રહી છે? આના જવાબમાં જયશંકરે કહ્યું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકામાં દાવો કર્યો છે કે, હિન્દુઓ પર થતા હુમલા રાજકીય પ્રેરિત હતા.


વિદેશમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનના વલણના કારણે એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) નિષ્ક્રિ છે. જ્યારે ભારત બિમસ્ટેકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે, બેંગકોકમાં બેથી ચાર એપ્રિલ સુધી બિમસ્ટેકનું શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન મોદી ભાગ લઈ શકે છે. જોકે આ દરમિયાન મોદી-યુનુસ વચ્ચે બેઠક યોજાશે કે નહીં, તેની પુષ્ટી થઈ નથી.


જયશંકરે બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જવાના છે. સૂત્રોએ કહ્યું કે, મોદી-યુનુસની મુલાકાત અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે, આ મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે. બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ, મનીષ તિવારી, મુકુલ વાસનિક, શિવેસના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સાંસદોએ હિન્દુઓની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો અને વિદેશમંત્રીને પૂછ્યું કે, સરકાર આ અત્યાચાર રોકવા શું પગલા ભરી રહી છે.