Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

સહારનપુરમાં મોહરમના કાર્યક્રમમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

July 07, 2025

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારમાં મોહરમના જુલુસ દરમિયાન એક મોટી ભાગદોડ મચી ગઈ છે. શનિવારે રાત્રે બિરયાની અને શરબત પીધા બાદ લગભગ 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શનિવારે રાત્રે નાનૌતા કસ્બામાં લોકો મોહરમના તહેવાર પર બિરયાની અને શરબતનું વિતરણ કરી રહ્યા હતા, તેને આરોગ્યાના થોડા સમય બાદ ઘણા લોકોને ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગી અને તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખાવા-પીવાની વસ્તુઓના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને પ્રાથમિક સારવાર કર્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.