સહારનપુરમાં મોહરમના કાર્યક્રમમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

July 07, 2025

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારમાં મોહરમના જુલુસ દરમિયાન એક મોટી ભાગદોડ મચી ગઈ છે. શનિવારે રાત્રે બિરયાની અને શરબત પીધા બાદ લગભગ 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શનિવારે રાત્રે નાનૌતા કસ્બામાં લોકો મોહરમના તહેવાર પર બિરયાની અને શરબતનું વિતરણ કરી રહ્યા હતા, તેને આરોગ્યાના થોડા સમય બાદ ઘણા લોકોને ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગી અને તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખાવા-પીવાની વસ્તુઓના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને પ્રાથમિક સારવાર કર્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.