નવરાત્રિમાં જરૂર કરો આ ચમત્કારી ઉપાય, મા દુર્ગાના મળશે આશીર્વાદ
September 17, 2025
આ વખતે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને તેમના નામોનો જય જયકાર કરવામાં આવે છે.
નવરાત્રિના આ શુભ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી જાતક ઉપર મા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સાથે જ નવરાત્રિના 9 દિવસો દરમિયાન કેટલીક એવી વસ્તુઓ, જેનાથી મા દુર્ગાના ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ગ્રહ-નક્ષત્રોનો પણ શુભ પ્રભાવ મળે છે. જેમાં સામેલ છે- લવિંગ, સોપારી, હળદર, પાન અને નારિયેળ.
1. લવિંગ
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને સૌથી પહેલા લવિંગ ચઢાવવામાં આવે છે. પૂજામાં લવિંગનું ખૂબ મહત્વ છે. જો તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માગતા હોય તો, તમારી ઉંમરના બરાબર લવિંગ લો અને તેમને કાળા કે લાલ દોરાથી જોડીને માળા બનાવો. નવરાત્રિમાં કોઈપણ દિવસે મા દુર્ગાને આ માળા અર્પણ કરો અને પ્રાર્થના કરો. લગભગ એક થી ત્રણ મહિનામાં તમારી ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે. તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગયા બાદ આ માળાને પાણીમાં વહેતી કરી દો અથવા તેને જમીનમાં દાટી દો.
2. સોપારી
નવરાત્રિની પૂજામાં સોપારીનું પણ ખાસ મહત્વ છે. નવરાત્રિમાં એક આખી સોપારી લો, તેની આસપાસ સિંદૂર લગાવીને તેને પીળા કપડામાં લપેટીને મા દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્નના આશીર્વાદ મળે છે. લગ્ન પછી પણ આ સોપારી તમારી સાથે રાખવી જોઈએ, કારણ કે તેનાથી તમારું વૈવાહિક જીવન સારું રહે છે.
3. હળદર
શારદીય નવરાત્રિની પૂજામાં હળદરનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નવરાત્રિમાં બે હળદરના ગઠ્ઠા લો અને તેને દેવીને અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. પછી તેને લાલ કપડામાં લપેટીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકો. તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે.
4. પાન
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણેપાનને પૂજા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિમાં 27 પાનની માળા બનાવીને દેવીને અર્પણ કરો અને રોજગાર માટે પ્રાર્થના કરો. રોજગાર મળ્યા પછી માળા પાણી વહેતી કરી દો.
5. નારિયેળ
નારિયેળને પણ નવરાત્રિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક પાણીથી ભરેલું નારિયેળ લો, દેવી સમક્ષ બેસો અને એક ખાસ મંત્રનો જાપ કરો અને પછી તેને વહેતા પાણીમાં વહેતું કરી દો. આનાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025