તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું
August 24, 2026
સંગારેડ્ડી : તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના જ માતા-પિતાની હત્યાના આરોપમાં ધરપકડ થયેલી 24 વર્ષીય નર્સ નક્કાલા સુરેખાએ હોસ્ટેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે જે દવાનો ઉપયોગ તેણે માતા-પિતાની હત્યા માટે કર્યો હતો, તે જ દવાનો ઉપયોગ કરીને તેણીએ પોતાનો જીવ પણ ટૂંકાવી લીધો છે.
સુરેખા સંગારેડ્ડીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ઇન્સ્ટાગ્રામ મારફતે તે એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, જોકે તેના માતા-પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા. આ વિરોધથી નારાજ થઈને નર્સ હોવાનો ફાયદો ઉઠાવી તેણીએ હોસ્પિટલમાંથી બેભાન કરવાનું હાઇડોઝ ઇન્જેક્શન મેળવ્યું હતું. 24 જાન્યુઆરી 2026ના રોજ તેણીએ માતા-પિતાને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખ્યા અને તેને કુદરતી મોત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી ખાલી સિરિંજ મળતાં પોલીસને શંકા ગઈ અને તપાસ બાદ તેની ધરપકડ કરી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાઈ હતી.
તાજેતરમાં જામીન બાદ સંગારેડ્ડીના શાંતિનગર સ્થિત એક ખાનગી હોસ્ટેલમાં રહેતી સુરેખાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રારંભિક તપાસ મુજબ તેણીએ જ ઝેરી દવાનો ઉપયોગ કર્યો હતો જે તેના પોતાના માતા-પિતાની હત્યા કરવામાં વાપરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું અને જામીન પર આવ્યા બાદ તેણીએ આ દવા ક્યાંથી મેળવી હતી.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026