અધિકારીઓ સાંભળતા જ નથી...: યોગીના મંત્રીએ વધાર્યું ભાજપનું ટેન્શન

July 15, 2024

લખનઉ : ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદે યોગી સરકારના અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન સરકારની બુલડોઝર કાર્યવાહીની ટીકા કરતા સંજય નિષાદે કહ્યું હતું કે, 'આ સમયે તમે બુલડોઝરનો ઉપયોગ કરીને લોકોના મકાનો તોડી નાખો છો તો શું તેઓ મત આપશે?' આ સાથે કુકરેલ નદીના કેચમેન્ટ એરિયામાં બનેલા મકાનોને ગેરકાયેદસર જાહેર કરીને લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારના આદેશને ધ્યાનમાં રાખીને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકાર દ્વારા કુકરેલ નદીને સુવ્યવસ્થિત કરીને તેના કિનારે રિવરફ્રન્ટ બનાવવાની યોજના છે.


ગઈ કાલે લખનઉ ખાતે ભાજપ કાર્યસમિતિની યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આપેલા નિવેદનનું મંત્રી સંજય નિષાદે સમર્થન કરતાં જણાવ્યું હતું કે, 'સરકારથી મોટું સંગઠન છે, સંગઠનથી મોટું કોઈ નથી, દરેક કાર્યકર્તા અમારું ગૌરવ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ક્યાંકને ક્યાંક વહીવટીતંત્રના કારણે NDA ને નુકસાની પહોંચી છે.' લોકસભા ચૂંટણી દરમિયાન વહીવટીતંત્રના કારણે કેટલીક જગ્યાએ એનડીએને નુકસાન થયું છે. સંજય નિષાદે જણાવ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના કેટલાક વહીવટીતંત્રના અધિકારીઓ અંદરથી હાથ અને સાયકલના છે. કેટલાય અધિકારીઓએ આપણાં કાર્યકર્તા અને નેતાઓને સન્માન આપ્યું નથી.' તેવામાં નિષાદ પાર્ટીના પ્રમુખે કહ્યું હતું કે, 'સમય આવતા આવા અધિકારીને પાઠ ભણાવીશું.' આ દરમિયા આપણા કાર્યકર્તાઓમાં નકારાત્મક વિચારો ઉભા ન થાય તે માટેના પગલા લેવા પડશે. જ્યારે કેટલીક જગ્યાએ અધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપી પોતાની મનમાની ચલાવે છે. આમ કરવાથી નિષાદ પાર્ટીને ઘણું નુકસાન થયું હતું.