ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પાકિસ્તાન બોર્ડર પર કરશે પ્રદર્શન

June 04, 2025

પાકિસ્તાનની બોર્ડર પર આજે ફરી એક વખત ભારતીય વાયુસેના પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેના આજે પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા દક્ષિણના વિસ્તારમાં વાયુસેનાના અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ દરમિયાન એક નક્કી કરેલા એર સ્પેશને હવાઈ અવર જવર માટે બંધ રાખવામાં આવશે. આ એરસ્પેશનનું રિઝર્વેશન ગુજરાતના રાજકોટ પાસેના વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનની બોર્ડરથી લગભગ 100 કિલોમીટર દુર છે. 

આ ક્ષેત્ર અરબ સાગર સાથે જોડાયેલુ છે અને સ્ટ્રેટેજિક રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.  વાયુસેનાનો અભ્યાસ આજે બપોરથી શરૂ થશે અને સાંજે 9 વાગ્યે પૂર્ણ થશે. આ દરમિયાન વાયુસેના પોતાની યુદ્ધ ક્ષમતાઓ અને તૈયારીઓ માટે વિશેષ અભ્યાસ કરશે.

પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી આ ક્ષેત્રમાં વાયુસેનાનો અભ્યાસ ઓપરેશન સિંદૂર બાદ ભારતની રાજનીતિક સતર્કતા અને તૈયારીઓ બતાવે છે. આ અભ્યાસમાં રાફેલ, સુકોઈ-30 અને જેગુઆર જેટ સહિત ફ્રંટ લાઈન ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થશે જેનો હેતુ ભારતીય વાયુસેનાની યુદ્ધની તૈયારીઓને વધારવાનો છે.