સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કરો દાન, અનેક દોષોનું થશે નિવારણ
December 04, 2024
હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમજ અમાસની તિથિએ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે આ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. ત્યારે આવો જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી તમે પિતૃઓની સાથે સાથે મહાદેવની કૃપા મેળવી શકો છો.
ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમે સોમવતી અમાવસ્યા પર દૂધ, ખાંડ, સફેદ વસ્ત્રો વગેરેનું દાન કરી શકો છો. આમ કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આ ઉપરાંત તમામ કાર્યોમાં પણ સફળતા મળે છે.
સોમવારનો દિવસ ભગવાન શિવ તેમજ ચંદ્રમાને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તમે આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ, ચાંદી વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. આમ કરવાથી મન સંબંધિત દોષો દૂર થાય છે અને ચંદ્ર ગ્રહ પણ બળવાન બને છે.
જો તમારા પર મંગળની મહાદશાની અસર હોય તો, તેના માટે તમે સોમવતી અમાવસ્યાના દિવસે મગ, ઘઉં, મસૂર, લાલ ચંદન અથવા જમીનનું દાન કરી શકો છો. બીજી બાજુ જો તમે શનિ દોષની અસર હેઠળ હોવ તો તેનાથી રાહત મેળવવા માટે તમારે તેલ, લોખંડની વસ્તુઓ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.
જો સોમવતી અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવવામાં આવે તેમજ તમારી ક્ષમતા મુજબ દાન આપવામાં આવે તો, પિતૃઓ પ્રસન્ન થાય છે. અને આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, પાણી, દહીં, મધ, ગાયનું દૂધ, ગંગાજળ, કપડાં અને ભોજનનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ પિતૃ દોષથી પણ રાહત મળશે.
Related Articles
8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિના જાતકો પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી
8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી ય...
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ ખટપટથી બચવું, મકર રાશિવાળાને સારા પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ...
Jan 13, 2025
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્વાર સહિત આ જગ્યાઓ પર કરો દીપ પ્રાગટ્ય
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્...
Dec 21, 2024
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવતી અડચણો થશે દૂર, મનપસંદ જીવનસાથી મળવાના યોગ
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવ...
Dec 17, 2024
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જ...
Dec 04, 2024
બહુચરાજીમાં મંગળવારે ધરાવાશે રસ-રોટલીનો પ્રસાદ, હજારો માઈભક્તો લેશે લાભ
બહુચરાજીમાં મંગળવારે ધરાવાશે રસ-રોટલીનો...
Dec 01, 2024
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 21, 2025