સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કરો દાન, અનેક દોષોનું થશે નિવારણ
December 04, 2024
હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમજ અમાસની તિથિએ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે આ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. ત્યારે આવો જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી તમે પિતૃઓની સાથે સાથે મહાદેવની કૃપા મેળવી શકો છો.
ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમે સોમવતી અમાવસ્યા પર દૂધ, ખાંડ, સફેદ વસ્ત્રો વગેરેનું દાન કરી શકો છો. આમ કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આ ઉપરાંત તમામ કાર્યોમાં પણ સફળતા મળે છે.
સોમવારનો દિવસ ભગવાન શિવ તેમજ ચંદ્રમાને સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તમે આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ, ચાંદી વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. આમ કરવાથી મન સંબંધિત દોષો દૂર થાય છે અને ચંદ્ર ગ્રહ પણ બળવાન બને છે.
જો તમારા પર મંગળની મહાદશાની અસર હોય તો, તેના માટે તમે સોમવતી અમાવસ્યાના દિવસે મગ, ઘઉં, મસૂર, લાલ ચંદન અથવા જમીનનું દાન કરી શકો છો. બીજી બાજુ જો તમે શનિ દોષની અસર હેઠળ હોવ તો તેનાથી રાહત મેળવવા માટે તમારે તેલ, લોખંડની વસ્તુઓ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.
જો સોમવતી અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરવવામાં આવે તેમજ તમારી ક્ષમતા મુજબ દાન આપવામાં આવે તો, પિતૃઓ પ્રસન્ન થાય છે. અને આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, પાણી, દહીં, મધ, ગાયનું દૂધ, ગંગાજળ, કપડાં અને ભોજનનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ પિતૃ દોષથી પણ રાહત મળશે.
Related Articles
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી રાજયોગ, 5 રાશિના જાતકોનું નસીબ ચમકશે
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી...
May 01, 2026
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026