મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
December 13, 2024
દિલ્હી : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ગુરૂવારે ડેપ્યુટી સીએમ અજિત પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે સમયે તેમણે એનસીપીને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આપવાની માગ કરતાં ચીમકી પણ આપી હતી. પવારે કહ્યું કે, જો તેમને આ ખાતું સોંપવામાં ન આવ્યું તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેતો નથી. અજિત પવારની અમિત શાહ સાથેની મુલાકાત બાદ એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ આ અંગે જણાવ્યું હતું.
અમોલ મિટકરીએ જણાવ્યું હતું કે, અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો સરકારનો કોઈ અર્થ રહેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન અજિત પવાર સાથે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે અને અજિત પવારના પત્ની ઉપસ્થિત હતા. 2024ની ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલી મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના અને ખેડૂતો માટે વીજ બીલ માફી જેવી યોજનાઓના લીધે સરકાર પર નાણાકીય બોજો પડે નહીં તેનું ધ્યાન અજિત પવાર સારી રીતે રાખી શકે છે. મહારાષ્ટ્રમાં નાણાકીય રીતે અનુશાસન માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અજિત પવારને જ સોંપવું જોઈએ.
મિટકરીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય અજિત પવાર માટે એકદમ યોગ્ય છે. તે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ માટે પરફેક્ટ નેતા છે. અમને જાણવા મળ્યું છે કે, ગૃહ મંત્રાલય ભાજપને મળી રહ્યું છે. તે તેમના માટે યોગ્ય છે. પરંતુ નાણાં મંત્રાલય એનસીપી માટે અનુકૂળ છે. જો અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો મહાયુતિ હોવાનો કોઈ અર્થ નથી. સંસદ ભવનમાં શાહને મળ્યા બાદ અજિત પવારે કહ્યું કે અમે શેરડી મુદ્દે ચર્ચા કરી. મેં અમિત શાહને શેરડીના ભાવ વધારવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. અજિત પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પર 14 જાન્યુઆરીએ ચર્ચા કરવામાં આવશે. જો કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેબિનેટ વિસ્તરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
Related Articles
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞ...
Apr 27, 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્...
Apr 27, 2026
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
Trending NEWS
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026