મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
December 13, 2024
દિલ્હી : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ગુરૂવારે ડેપ્યુટી સીએમ અજિત પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે સમયે તેમણે એનસીપીને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આપવાની માગ કરતાં ચીમકી પણ આપી હતી. પવારે કહ્યું કે, જો તેમને આ ખાતું સોંપવામાં ન આવ્યું તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેતો નથી. અજિત પવારની અમિત શાહ સાથેની મુલાકાત બાદ એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ આ અંગે જણાવ્યું હતું.
અમોલ મિટકરીએ જણાવ્યું હતું કે, અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો સરકારનો કોઈ અર્થ રહેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન અજિત પવાર સાથે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે અને અજિત પવારના પત્ની ઉપસ્થિત હતા. 2024ની ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલી મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના અને ખેડૂતો માટે વીજ બીલ માફી જેવી યોજનાઓના લીધે સરકાર પર નાણાકીય બોજો પડે નહીં તેનું ધ્યાન અજિત પવાર સારી રીતે રાખી શકે છે. મહારાષ્ટ્રમાં નાણાકીય રીતે અનુશાસન માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અજિત પવારને જ સોંપવું જોઈએ.
મિટકરીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય અજિત પવાર માટે એકદમ યોગ્ય છે. તે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ માટે પરફેક્ટ નેતા છે. અમને જાણવા મળ્યું છે કે, ગૃહ મંત્રાલય ભાજપને મળી રહ્યું છે. તે તેમના માટે યોગ્ય છે. પરંતુ નાણાં મંત્રાલય એનસીપી માટે અનુકૂળ છે. જો અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો મહાયુતિ હોવાનો કોઈ અર્થ નથી. સંસદ ભવનમાં શાહને મળ્યા બાદ અજિત પવારે કહ્યું કે અમે શેરડી મુદ્દે ચર્ચા કરી. મેં અમિત શાહને શેરડીના ભાવ વધારવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. અજિત પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પર 14 જાન્યુઆરીએ ચર્ચા કરવામાં આવશે. જો કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેબિનેટ વિસ્તરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
Related Articles
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પો...
Jul 26, 2026
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી માંગે અને પોલીસ સામે સખત પગલા લેવાય ઃ કોંગ્રેસની આકરી માંગ
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી...
Jul 26, 2026
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને...
Jul 26, 2026
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો...
Jul 26, 2026
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સ...
Jul 26, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026