Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

May 06, 2026

કેન્દ્રીય માહિતી પંચ દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મહત્વની ભલામણ કરવામાં આવી છે. અત્યાર સુધી પરિણામ જાહેર કરતી વખતે ઉમેદવાર કઈ મુખ્ય શ્રેણી એટલે કે SC, ST અથવા OBC માંથી આવે છે તેની જ વિગતો આપવામાં આવતી હતી. પરંતુ હવે CIC એ એવું સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે અનામત નીતિનો ખરેખર લાભ સમાજના એવા વર્ગો સુધી પહોંચે છે કે જેઓ હજુ પણ પછાત છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે મુખ્ય શ્રેણીની અંદર અમુક જ જ્ઞાતિઓ અનામતનો વધુ લાભ મેળવતી હોય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ તેનાથી વંચિત રહી જાય છે. જો પરિણામોમાં આ વિગતો જાહેર કરવામાં આવે, તો અનામતના લાભોનું વિતરણ કેટલું સચોટ અને સમાન છે તેનું ચોકસાઈથી મૂલ્યાંકન કરી શકાશે. આ ભલામણ એક RTI અરજી બાદ લેવામાં આવેલા મહત્ત્વના નિર્ણયના ભાગરૂપે કરવામાં આવી છે. એક વ્યક્તિએ માહિતી અધિકાર હેઠળ વર્ષ 1995ની UPSC પરીક્ષામાં IAS તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર માહિતી માંગી હતી, જેના જવાબમાં સરકારી વિભાગે જણાવ્યું હતું કે તેમની પાસે માત્ર મુખ્ય શ્રેણીઓનો જ ડેટા ઉપલબ્ધ છે.

આ બાબતને ધ્યાને રાખીને કેન્દ્રીય માહિતી પંચે અવલોકન કર્યું હતું કે જો ભવિષ્યમાં પરિણામોમાં જ્ઞાતિની સાથે પેટા જ્ઞાતિની જાણકારી પણ ઉમેરવામાં આવે, તો તેનાથી વહીવટી પ્રક્રિયામાં ઘણો ફાયદો થશે. તેનાથી એ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર કયા જ્ઞાતિ સમૂહોને મળી રહ્યો છે અને કયા સમૂહો હજુ પણ મુખ્ય પ્રવાહથી દૂર છે. આ પ્રક્રિયાના અમલીકરણથી અનામત નીતિનું વધુ સચોટ અને તાર્કિક મૂલ્યાંકન કરવાનું સરકાર માટે સરળ બનશે.