Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

વડાપ્રધાન મોદીએ 1996નો વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમ સાથે મુલાકાત કરી

April 07, 2025

શ્રીલંકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમને મળ્યા છે. તેમણે સનથ જયસૂર્યા, અરવિંદ ડી સિલ્વા, ચામિંડા વાસ, અટાપટ્ટુ અને અન્ય ક્રિકેટરો સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત વિશે પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્યોને મળીને આનંદ થયો. આ એવી ટીમ છે જેણે માત્ર ટ્રોફી જ જીતી નહીં, પરંતુ વિશ્વભરના લાખો રમત પ્રેમીઓની કલ્પનાને પણ જીવંત કરી છે.

પીએમ મોદીને મળ્યા બાદ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા, રમેશ કાલુવિથરાના અને અરવિંદ ડી સિલ્વાએ પ્રતિક્રિયા પણ આપી હતી. જયસૂર્યાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અનુભવ અદ્ભુત રહ્યો. તેમણે સમજાવ્યું કે ભારત એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે વિકસિત થયો છે. અમે બીજી ઘણી બાબતો અને ક્રિકેટ વિશે પણ વાત કરી. અમે તેમની સાથે ભારતમાં સત્તા કેવી રીતે સંભાળી અને તેમણે દેશનો વિકાસ કેવી રીતે કર્યો તે વિશે પણ વાત કરી.

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત અમારા માટે એક અદ્ભુત અનુભવ હતો. તેમણે ભારત માટે શું કર્યું છે તે વિશે વિગતવાર જણાવ્યું. તે જ સમયે, અરવિંદ ડી સિલ્વાએ કહ્યું કે દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરે છે. તેમણે પોતાના દેશ ભારત માટે ઘણું કર્યું છે. આટલા મોટા દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવું એ પોતે જ એક સિદ્ધિ છે.