26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ, ભારતે કહ્યું- આતંકવાદ સામે જરૂરી પગલાં લઈશું
August 19, 2026
નવી દિલ્હીઃ મુંબઈના 26/11 આતંકી હુમલા કેસમાં પાકિસ્તાન સ્થિત હાફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી સહિત 6 ફરાર આરોપીઓ સામે તેમની ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે કહ્યું છે કે આતંકવાદને હરાવવા માટે ભારત જરૂરી તમામ પગલાં લેવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું છે કે આતંકવાદ ભારત માટે ગંભીર મુદ્દો છે અને દેશ તેની સામેની લડાઈ આગળ પણ ચાલુ રાખશે.
મુંબઈ પોલીસે કાર્યવાહી માટે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને પત્ર લખ્યો છે અને હાફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી, સાજિદ મીર, અબુ અલકામા, આસિમ ઉર્ફે અબુ કાહફા અને મેજર અબ્દુર રહેમાન પાશા સામે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિકમે કહ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 356 હેઠળ ફરાર આરોપીઓ સામે તેમની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવી શકાય છે. ઉપલબ્ધ માહિતી મુજબ, આતંકવાદના આવા કેસમાં આ જોગવાઈનો પ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ન્યાય પ્રક્રિયામાં લાંબો વિલંબ ન થાય.
26/11ના હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો હતો, જેમાં 160થી વધુ લોકોનાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. હુમલાના કાવતરામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવા ભારત સતત પાકિસ્તાન પાસે માંગ કરતું રહ્યું છે. સાથે જ નવી દિલ્હી સરહદ પારના આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અને હુમલાના આરોપીઓને જવાબદાર ઠેરવવા પર ભાર મૂકી રહ્યું છે.
જયસ્વાલે કહ્યું છે કે ભારત ઇચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આતંકવાદી પ્રવૃત્તિઓની ગંભીરતા સમજે અને વૈશ્વિક સ્તરે તેની સામેની કાર્યવાહી મજબૂત બને. બ્રીફિંગ દરમિયાન તેમણે શહેઝાદ ભટ્ટી આતંકી નેટવર્કને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે જોડવાના ભારતના આરોપોને પાકિસ્તાને નકાર્યા હોવા અંગે પણ કહ્યું કે સરકારનું વલણ યથાવત્ છે. આ પ્રતિક્રિયા સ્વતંત્રતા દિવસ પહેલાં 14 રાજ્યોમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સંકલિત કાર્યવાહી બાદ આવી હતી, જેમાં સત્તાવાળાઓએ નેટવર્કને ISI સમર્થિત અને પાકિસ્તાન સ્થિત ગણાવ્યું હતું.
Related Articles
જૌહર યુનિવર્સિટીમાં કાળા નાણાના વાપર્યાની શંકાએ સપા નેતા આઝમ ખાનના 10થી વધુ ઠેકાણે ઈડાના દરોડા
જૌહર યુનિવર્સિટીમાં કાળા નાણાના વાપર્યાન...
Aug 19, 2026
ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ : હિમાચલમાં ખાણ ધસતા 3 કામદારો દટાયા, કોટદ્વારમાં મકાન ધરાશાયી થતા બાળક સહિત 2ના મોત
ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ : હિમાચલમાં...
Aug 19, 2026
કોલકાતાની હોટલમાં મધરાતે ભીષણ આગ, સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત, 6 ગંભીર રીતે દાઝ્યા
કોલકાતાની હોટલમાં મધરાતે ભીષણ આગ, સારવાર...
Aug 19, 2026
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડોઃ એપ્રૂવલ રેટિંગ 33% પર ગગડ્યું, 67% અમેરિકનો કામગીરીથી નારાજ
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડોઃ એપ્રૂવલ રે...
Aug 18, 2026
વિદ્યાર્થીઓના વિરોધની આશંકા વચ્ચે TISSએ CJI સૂર્યકાંતનું નામ યાદીમાંથી હટાવ્યું, ડો. સી. એસ પ્રમેશ રહેશે મુખ્ય અતિથિ
વિદ્યાર્થીઓના વિરોધની આશંકા વચ્ચે TISSએ...
Aug 18, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લિનચીટ, યોગી સરકારની SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો
રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય-અનિલ...
Aug 18, 2026
Trending NEWS
19 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026