મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી
May 06, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન INDIAમાં આંતરિક ડખાં ઉભા થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળમાં ભાજપની સુનામી વચ્ચે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ પરાજય પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના કેટલાક નેતાઓ જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના પર રાહુલ ગાંધીએ સખત નારાજગી વ્યક્ત કરી છે. બંગાળના પરિણામો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કોંગ્રેસ અને કેટલાક અન્ય નેતાઓ TMCની હાર પર ખુશ થઈ રહ્યા છે. તેમણે આ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે આસામ અને બંગાળના જનાદેશની ચોરી એ ભારતીય લોકશાહીને ખતમ કરવાના ભાજપના મિશનમાં એક મોટું પગલું છે. નાની-નાની રાજનીતિને એક બાજુ મૂકી દો. આ કોઈ એક પક્ષની વાત નથી પરંતુ આ ભારતની વાત છે.' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સતત મમતા બેનરજીના પક્ષમાં ઉભા રહ્યા છે અને અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, 'અમે મમતાજી સાથે સહમત છીએ, બંગાળમાં 100 થી વધુ બેઠકો ચોરાઈ છે.'
શિવસેના-UBTના પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિપક્ષી નેતાઓની ખુશીને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘TMC અને DMKની નિષ્ફળતા પર ઈન્ડિ ગઠબંધનની અંદરથી જે રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે તે શરમજનક છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને બિહારમાં તેજસ્વી યાદવ ચૂંટણી હાર્યા હતા, ત્યારે પણ આવું થયું હતું. તાજેતરમાં જ AAPમાં બળવા સમયે પણ આવું કુટિલ હાસ્ય જોવા મળ્યું હતું. હવે આવનારી યુપી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવને નિશાન બનાવાઈ રહ્યા છે. એ યાદ રાખજો કે, મતદારો આ પ્રકારના કુટિલ હાસ્યને જાકારો આપે છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. વિપક્ષી નેતાઓએ તે ભાવનાને યાદ રાખવી જોઈએ જેના કારણે આ ગઠબંધન બન્યું હતું.’
રાહુલ ગાંધીએ ભલે કોઈનું નામ લીધું ન હોય પરંતુ બંગાળના રાજકારણમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)ના નિવેદનની જોરદાર ચર્ચા થઈ રહી છે. અધીર રંજને ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ભાજપ મમતા બેનરજીના સમર્થનથી જ બંગાળમાં દાખલ થઈ છે. મમતા બેનરજી (Mamata Banerjee)એ ભાજપ માટે રેડ કાર્પેટ બિછાવ્યું અને મિજબાનીઓની વ્યવસ્થા કરી, જેનું ખામિયાજું હવે ટીએમસીએ ભોગવવું પડી રહ્યું છે. બંગાળમાં કેસરિયા લહેર એટલે કે ગેરુઆ લહેર અને સત્તા વિરોધી લહેર ચાલી જેનાથી આવા પરિણામો આવ્યા છે. લોકોને પરિવર્તનનો અંદાજ તો હતો પણ ટીએમસીનું નામોનિશાન નહીં રહે તે અમારી વિચારધારાની બહાર હતું. મમતાની ચાલાકી જ તેમની હારનું કારણ બની છે, જોકે તેઓ પોતે પણ બહેરામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.’
શિવસેના-UBTના પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિપક્ષી નેતાઓની ખુશીને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘TMC અને DMKની નિષ્ફળતા પર ઈન્ડિ ગઠબંધનની અંદરથી જે રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે તે શરમજનક છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને બિહારમાં તેજસ્વી યાદવ ચૂંટણી હાર્યા હતા, ત્યારે પણ આવું થયું હતું. તાજેતરમાં જ AAPમાં બળવા સમયે પણ આવું કુટિલ હાસ્ય જોવા મળ્યું હતું. હવે આવનારી યુપી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવને નિશાન બનાવાઈ રહ્યા છે. એ યાદ રાખજો કે, મતદારો આ પ્રકારના કુટિલ હાસ્યને જાકારો આપે છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. વિપક્ષી નેતાઓએ તે ભાવનાને યાદ રાખવી જોઈએ જેના કારણે આ ગઠબંધન બન્યું હતું.’
રાહુલ ગાંધીએ ભલે કોઈનું નામ લીધું ન હોય પરંતુ બંગાળના રાજકારણમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)ના નિવેદનની જોરદાર ચર્ચા થઈ રહી છે. અધીર રંજને ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ભાજપ મમતા બેનરજીના સમર્થનથી જ બંગાળમાં દાખલ થઈ છે. મમતા બેનરજી (Mamata Banerjee)એ ભાજપ માટે રેડ કાર્પેટ બિછાવ્યું અને મિજબાનીઓની વ્યવસ્થા કરી, જેનું ખામિયાજું હવે ટીએમસીએ ભોગવવું પડી રહ્યું છે. બંગાળમાં કેસરિયા લહેર એટલે કે ગેરુઆ લહેર અને સત્તા વિરોધી લહેર ચાલી જેનાથી આવા પરિણામો આવ્યા છે. લોકોને પરિવર્તનનો અંદાજ તો હતો પણ ટીએમસીનું નામોનિશાન નહીં રહે તે અમારી વિચારધારાની બહાર હતું. મમતાની ચાલાકી જ તેમની હારનું કારણ બની છે, જોકે તેઓ પોતે પણ બહેરામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.’
Related Articles
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર?
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિ...
May 06, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર...
May 06, 2026
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026