મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી
May 06, 2026
શિવસેના-UBTના પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિપક્ષી નેતાઓની ખુશીને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘TMC અને DMKની નિષ્ફળતા પર ઈન્ડિ ગઠબંધનની અંદરથી જે રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે તે શરમજનક છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને બિહારમાં તેજસ્વી યાદવ ચૂંટણી હાર્યા હતા, ત્યારે પણ આવું થયું હતું. તાજેતરમાં જ AAPમાં બળવા સમયે પણ આવું કુટિલ હાસ્ય જોવા મળ્યું હતું. હવે આવનારી યુપી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવને નિશાન બનાવાઈ રહ્યા છે. એ યાદ રાખજો કે, મતદારો આ પ્રકારના કુટિલ હાસ્યને જાકારો આપે છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. વિપક્ષી નેતાઓએ તે ભાવનાને યાદ રાખવી જોઈએ જેના કારણે આ ગઠબંધન બન્યું હતું.’
રાહુલ ગાંધીએ ભલે કોઈનું નામ લીધું ન હોય પરંતુ બંગાળના રાજકારણમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)ના નિવેદનની જોરદાર ચર્ચા થઈ રહી છે. અધીર રંજને ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ભાજપ મમતા બેનરજીના સમર્થનથી જ બંગાળમાં દાખલ થઈ છે. મમતા બેનરજી (Mamata Banerjee)એ ભાજપ માટે રેડ કાર્પેટ બિછાવ્યું અને મિજબાનીઓની વ્યવસ્થા કરી, જેનું ખામિયાજું હવે ટીએમસીએ ભોગવવું પડી રહ્યું છે. બંગાળમાં કેસરિયા લહેર એટલે કે ગેરુઆ લહેર અને સત્તા વિરોધી લહેર ચાલી જેનાથી આવા પરિણામો આવ્યા છે. લોકોને પરિવર્તનનો અંદાજ તો હતો પણ ટીએમસીનું નામોનિશાન નહીં રહે તે અમારી વિચારધારાની બહાર હતું. મમતાની ચાલાકી જ તેમની હારનું કારણ બની છે, જોકે તેઓ પોતે પણ બહેરામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.’
Related Articles
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ,...
Jun 17, 2026
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સોનાની ગદા ગુમ, 42થી વધુ કર્મચારીની પૂછપરછ કરાશે
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સો...
Jun 17, 2026
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં...
Jun 15, 2026
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપ...
Jun 15, 2026
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમ...
Jun 15, 2026
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, N...
Jun 14, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
16 June, 2026
16 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026