Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

રાઉતે ચૂંટણીમાં હાર માટે પૂર્વ CJI ચંદ્રચૂડને જવાબદાર ઠેરવ્યા

November 26, 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થય બાદ મીડિયાને સંબોધિત કરતાં સંજય રાઉતે ચૂંટણી પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરવાનું આહ્વાન કરતાં મહારાષ્ટ્રમાં ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ઇવીએમ એક મોટો મુદ્દો રહ્યો છે. આ પરિણામને રહેવા દો, પરંતુ ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવો અને પછી અમને આવું પરિણામ લાવીને દેખાડો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે કશું થયું છે તેના માટે ચંદ્રચૂડની જવાબદારી છે. જો કે તેના માટે તેમણે કોઈ વિસ્તૃત માહિતી આપી ન હતી. શિવસેનાના નેતાની આ ટિપ્પણીઓ પોતાના પહેલા નિવેદન બાદ આવી છે કે જેમાં તેમણે મહાયુતિ ગઠબંધન પર બેઠકોની ચોરીનો આરોપ લગાવ્યો હતો.

તેમણે આ ટિપ્પણી મતગણનાની સવારે એ સમયે કરી હતી કે જ્યારે શિવસેના ફક્ત 20 બેઠક પર આગળ ચાલી રહી હતી.એનડીએના ઐતિહાસિક વિજય બાદ એમવીએની અંદર બ્લેમ ગેમ શરૂ થઈ ગઈ છે. એમવીએના ઘણા નેતાઓ ચૂંટણી પ્રક્રિયા, પાર્ટીની વ્યૂહરચનાઓ અને હવે જ્યૂડિશિયલ ફીગર્સ સહિત અનેક કારણો સામે આંગળી ચીંધી રહ્યા છે.