નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
August 17, 2026
ભાજપમાં ફરી એકવાર રાજીનામાનો મામલો સામે આવ્યો છે. નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર સોંપીને પોતાનું રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી રાજીનામું સ્વીકારાયું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પહેલી વખત નથી જ્યારે પૂનાવાલાએ પદ છોડવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા 31 જુલાઈએ પણ તેમણે આવી જ રીતે તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે ભાજપે તેમનું રાજીનામું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને ફરી એકવાર વિચારણા કરવા માટે કહ્યું હતું. તે ઘટનાના થોડા દિવસ બાદ જ હવે તેમણે ફરી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિર્ણયની જાણકારી આપતા પૂનાવાલાએ લખ્યું છે કે નાણાકીય અને અંગત પરિસ્થિતિઓના કારણે તેઓ ભાજપના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી બિનશરતી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત વખતે પાર્ટીએ તાત્કાલિક રાજીનામું ન સ્વીકારીને પુનર્વિચાર કરવાનું કહ્યું તે તેમના માટે ભાવુક ક્ષણ હતી. પરંતુ લાંબા વિચાર-વિમર્શ અને ગંભીર ચિંતન બાદ આખરે તેમણે રાષ્ટ્રીય પ્રવક્તા પદ અને સક્રિય પ્રાથમિક સભ્યપદ છોડવાનો અંતિમ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શહેઝાદ પૂનાવાલા ભાજપના પ્રબળ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાણીતા છે.
Related Articles
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હો...
Aug 17, 2026
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા...
Aug 17, 2026
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ...
Aug 17, 2026
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યાર્થી આંદોલન સફળ, સરકાર વાતચીત માટે તૈયાર થઈ
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યા...
Aug 17, 2026
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળ...
Aug 17, 2026
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર બહાર કરંટની અફવાથી નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત, 8 ઘાયલ
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર બહાર કર...
Aug 17, 2026
Trending NEWS
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
14 August, 2026
14 August, 2026