Breaking News :
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ ’જન ગણ મન રાષ્ટ્રગાન નથી, વંદે માતરમને બનાવો’ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પીએમ મોદીને માંગ કરી અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, પાલખીયાત્રા અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન

નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી

August 17, 2026

ભાજપમાં ફરી એકવાર રાજીનામાનો મામલો સામે આવ્યો છે. નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર સોંપીને પોતાનું રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી રાજીનામું સ્વીકારાયું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પહેલી વખત નથી જ્યારે પૂનાવાલાએ પદ છોડવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા 31 જુલાઈએ પણ તેમણે આવી જ રીતે તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે ભાજપે તેમનું રાજીનામું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને ફરી એકવાર વિચારણા કરવા માટે કહ્યું હતું. તે ઘટનાના થોડા દિવસ બાદ જ હવે તેમણે ફરી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિર્ણયની જાણકારી આપતા પૂનાવાલાએ લખ્યું છે કે નાણાકીય અને અંગત પરિસ્થિતિઓના કારણે તેઓ ભાજપના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી બિનશરતી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત વખતે પાર્ટીએ તાત્કાલિક રાજીનામું ન સ્વીકારીને પુનર્વિચાર કરવાનું કહ્યું તે તેમના માટે ભાવુક ક્ષણ હતી. પરંતુ લાંબા વિચાર-વિમર્શ અને ગંભીર ચિંતન બાદ આખરે તેમણે રાષ્ટ્રીય પ્રવક્તા પદ અને સક્રિય પ્રાથમિક સભ્યપદ છોડવાનો અંતિમ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શહેઝાદ પૂનાવાલા ભાજપના પ્રબળ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાણીતા છે.