નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
August 17, 2026
ભાજપમાં ફરી એકવાર રાજીનામાનો મામલો સામે આવ્યો છે. નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર સોંપીને પોતાનું રાજીનામું સ્વીકારી લેવા વિનંતી કરી છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી રાજીનામું સ્વીકારાયું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પહેલી વખત નથી જ્યારે પૂનાવાલાએ પદ છોડવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા 31 જુલાઈએ પણ તેમણે આવી જ રીતે તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે ભાજપે તેમનું રાજીનામું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને ફરી એકવાર વિચારણા કરવા માટે કહ્યું હતું. તે ઘટનાના થોડા દિવસ બાદ જ હવે તેમણે ફરી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિર્ણયની જાણકારી આપતા પૂનાવાલાએ લખ્યું છે કે નાણાકીય અને અંગત પરિસ્થિતિઓના કારણે તેઓ ભાજપના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી બિનશરતી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત વખતે પાર્ટીએ તાત્કાલિક રાજીનામું ન સ્વીકારીને પુનર્વિચાર કરવાનું કહ્યું તે તેમના માટે ભાવુક ક્ષણ હતી. પરંતુ લાંબા વિચાર-વિમર્શ અને ગંભીર ચિંતન બાદ આખરે તેમણે રાષ્ટ્રીય પ્રવક્તા પદ અને સક્રિય પ્રાથમિક સભ્યપદ છોડવાનો અંતિમ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શહેઝાદ પૂનાવાલા ભાજપના પ્રબળ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાણીતા છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026