Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

ધર્મના નામે રસ્તા રોકી શકાય નહીં, દરેક સંસ્થામાં નિયમો હોવા જરૂરી: સુપ્રીમ કોર્ટ

April 29, 2026

 

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે દરેક ધાર્મિક સંસ્થાના ચોક્કસ નિયમો હોવા જોઈએ અને સંચાલનનો અર્થ અરાજકતા ન હોઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક કાર્યોના નામે જાહેર રસ્તાઓ રોકી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સહિત 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ મામલે સંયુક્ત સુનાવણી કરી રહી છે.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે જણાવ્યું હતું કે મેનેજમેન્ટનો અર્થ એ નથી કે ત્યાં કોઈ માળખું કે નીતિ-નિયમો જ ન હોય. મંદિર હોય કે દરગાહ, દરેક પૂજા કે ઇબાદત માટે ચોક્કસ રીત હોવી જોઈએ અને કોઈ પોતાની મનમરજી ન ચલાવી શકે. કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક નિયમો બંધારણથી ઉપર ન હોઈ શકે અને તેમાં પણ બંધારણનું પાલન થવું અનિવાર્ય છે. કોઈપણ પ્રકારનો ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં અને આ મામલે સુનાવણી આગળ પણ ચાલુ રહેશે.