Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન

May 06, 2026

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ભાજપ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ક્યારેક બેઠકોની ચોરી કરવામાં આવે છે તો ક્યારેક આખેઆખી સરકારની ચોરી થાય છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, લોકસભાના ભાજપના 240 સાંસદોમાંથી દર છઠ્ઠો સાંસદ વોટની ચોરી કરીને જીત્યો છે. તેમણે ભાજપની જ પરિભાષાનો ઉપયોગ કરીને વ્યંગ કર્યો હતો કે આવા સાંસદોને ઓળખવા મુશ્કેલ નથી, શું તેમને ભાજપની ભાષામાં ઘૂસણખોર કહેવા જોઈએ? વધુમાં તેમણે હરિયાણા સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ત્યાં તો આખી સરકાર જ ઘૂસણખોર છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે અને મતદાર યાદીઓ તેમજ ચૂંટણી પ્રક્રિયામાં તોડમરોડ કરે છે, તેઓ પોતે રિમોટ કંટ્રોલ્ડ છે. ભાજપને અસલી ડર માત્ર સચ્ચાઈનો જ લાગે છે. વિપક્ષી નેતાએ દાવો કર્યો હતો કે જો દેશમાં સંપૂર્ણપણે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય, તો આજે ભાજપ 140 બેઠકો પર પણ જીત મેળવી શકે તેમ નથી.

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કરીને પોતાનું હુમલાખોર વલણ જાળવી રાખ્યું છે. આ અગાઉ પણ તેમણે વિવિધ મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી હતી. રાહુલ ગાંધીના આ તાજેતરના નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં ભાજપ તરફથી આ મુદ્દે આક્રામક વલણ અપનાવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સંસદના આગામી સત્રોમાં પણ આ વિવાદના પડઘા પડી શકે છે.