Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

સાવરકર વિશે બે શબ્દ બોલી બતાવો: ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર

November 10, 2024

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોર ચૂંટણી પ્રચાર કરવાની સાથે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. તો ભાજપ પણ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર સતત પ્રહારો કરી રહી છે. તો બીજીતરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે અને આ સાથે તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંકતા અમિત શાહે કહ્યું કે, હું ઉદ્ધવજીને પૂછવા માગું છું કે, શું તેઓ રાહુલને કહી શકે છે કે, તેઓ વીર સાવરકર અંગે બે શબ્દો બોલી બતાવે ? શું કોંગ્રેસનો કોઈ નેતા બાલા સાહેબ ઠાકરેજીના સન્માનમાં બે વાંક્યો બોલી શકે છે ? મહાવિકાસ અઘાડીમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે અને તેઓ સરકાર બનાવવાનું સ્વપ્ન લઈને નીકળી પડ્યા છે. આ લોકો મહારાષ્ટ્રની જનતા ઓળખી લે તો સારું...’


તેમણે વધુમાં કહ્યું કે, હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માગું છું કે, તમારે ક્યાં બેસવું છે, તે તમારે જ નક્કી કરવાનું છે. જોકે હું તમને યાદ અપાવવા માગું છું કે, તમે 370ના વિરોધીઓ, રામજન્મ ભૂમિના વિરોધીઓ અને વક્ફ બોર્ડમાં સુધારાનો વિરોધ કરનારાઓ સાથે બેઠા છો.
ભાજપ નેતાએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર પત્થરની લકીર છે. કેન્દ્ર હોય કે રાજ્ય, જ્યાં અમારી સરકાર બને છે, ત્યાં અમે સંકલ્પો પુરા કરીએ છીએ. જે રાજ્યમાં કોંગ્રેસની શાસન છે, ત્યાં ચૂંટણી પહેલા કરાયેલા વચનો હજુ સુધી પુરા કરાયા નથી અને મહાવિકાસ અઘાડીની કોઈ વિશ્વસનીયતા જ નથી.’