સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
May 07, 2026
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સોહરાબુદ્દીન શેખના ભાઈ રુબાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં મુંબઈની સેશન્સ કોર્ટના એ ચુકાદાને પડકારાયો હતો, જેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ કર્મચારી સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને ગૌતમ અંખાદની બેન્ચે આ અપીલોને ફગાવતા જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદામાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર કે કેસ જણાતો નથી.
આ કેસની શરૂઆત 23 નવેમ્બર, 2005ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના ઝહિરાબાદ પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમની બસ અટકાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાત લવાયા હતા, જ્યારે પ્રજાપતિને કસ્ટડીમાં રાખી 26 નવેમ્બર, 2005ના રોજ રાજસ્થાનના ભીલવાડાથી ધરપકડ બતાવી જેલમાં મોકલી દેવાયો હતો.
CBIના જણાવ્યાનુસાર, 25 અને 26 નવેમ્બર, 2005ની મધ્યરાત્રિએ પોલીસ અધિકારીઓએ સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારબાદ કૌસર બીની પણ હત્યા થઈ હતી. 28 નવેમ્બર, 2005ના રોજ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનો સભ્ય હતો અને તે ગુજરાતના એક 'મોટા રાજકીય નેતા'ની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો.
તુલસીરામ પ્રજાપતિની હત્યા પાછળનું કારણ
આ ગાળામાં એક વર્ષ બાદ, 28 ડિસેમ્બર, 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. CBIએ આ એન્કાઉન્ટરને પણ 'તૂત' ગણાવ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ હતો કે, તુલસી પ્રજાપતિ સોહરાબુદ્દીન અને કૌસર બીના અપહરણનો મુખ્ય સાક્ષી હતો, તેથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડાયું હતું. તુલસી પ્રજાપતિએ જ અગાઉ જેલના સાથીઓ અને માનવાધિકાર પંચ સમક્ષ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
2010: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ CBIએ આ કેસની તપાસ સંભાળી.
2018: મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા.
સાક્ષીઓ: આ ટ્રાયલમાં 210 સાક્ષીની તપાસ કરાઈ હતી, જેમાંથી 92 સાક્ષી હોસ્ટાઈલ (પોતાના નિવેદન પરથી ફરી ગયા) જાહેર થયા હતા.
આખરે, રુબાબુદ્દીન શેખ અને તુલસીરામની માતા નર્મદાબાઈની લાંબી કાનૂની લડત બાદ પણ હાઈકોર્ટે નીચલી અદાલતના મુક્તિના આદેશને માન્ય રાખ્યો છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી
અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવ...
May 06, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026