સૂર્યગ્રહણ આ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, નોકરીથી માંડી બિઝનેસમાં થશે પ્રગતિ
September 18, 2025
21 સપ્ટેમ્બરના રોજ આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જેના પર જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકોની નજર છે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાશે, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તેની અસર સ્પષ્ટ દેખાશે. સૂર્યગ્રહણ માત્ર એક અવકાશી ઘટના નથી પરંતુ તે આપણા જીવનને ઘણી રીતે અસર કરી શકે છે. તે તમારા ભાગ્ય પર પણ ઊંડી અસર કરી શકે છે.
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગ્રહણનો સમય શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી, તેથી લોકો આ સમયે પૂજા-પાઠ, દાન અને મંત્ર જાપ પર વધુ ધ્યાન આપે છે. જ્યોતિષીઓના મતે વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની અસર બધી રાશિઓ પર જોવા મળશે. તો ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણ માટે કઈ રાશિઓને શુભ માનવામાં આવી રહી છે.
1. મેષ રાશિ
આ સૂર્યગ્રહણ મેષ રાશિના જાતકોનું ભાગ્ય મજબૂત કરનારું સાબિત થશે. લાંબા સમયથી રાહ જોવાતી તક હાથ લાગી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળશે. વિદ્યાર્થીઓ અને રિસર્ચ સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. વિદેશ પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. કરિયરમાં નવી તક મળશે, બીજી તરફ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. બાકી અટકેલા કાર્યો પૂર્ણ થશે, અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓથી રાહત મળશે. ધન-સંપત્તિ સાથે સંબંધિત મામલામાં લાભ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
આ સૂર્યગ્રહણથી સિંહ રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે, કારણ કે સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સમાજ અને કાર્યસ્થળમાં માન્યતા પ્રાપ્ત થશે. ધન લાભ અને રોકાણથી ફાયદો થશે. પરિવારમાં સન્માન અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે, જ્યારે બિઝનેસ કરતા લોકોને વિસ્તરણની તકો મળશે. પરિવારમાં સંવાદિતા અને સહયોગ વધશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાના સંકેતો છે.
સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અધૂરા રહેલા સપનાઓ પૂરા થશે. શિક્ષણ, કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે.
21 સપ્ટેમ્બરે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. આ સૂર્યગ્રહણ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ પેસિફિકના કેટલાક ભાગોમાં દેખાશે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025