Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

આગામી 1 વર્ષમાં નવા 1 લાખ યુવકોને રાજકારણમાં જોડવાનું લક્ષ્ય:મોદી

November 25, 2024

પીએમ મોદીએ આકાશવાણી પરથી મહિનાનાં છેલ્લા રવિવારે પ્રસારિત થતી મન કી બાતનાં 116મા સંસ્કરણમાં કહ્યું હતું કે તેઓ આગામી 1 વર્ષમાં નવા 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરશે. જેમનો ભૂતકાળ રાજકારણનો નથી તેવા નવા 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવીને તૈયાર કરવામાં આવશે.

આ માટે દેશમાં ખાસ અભિયાન હાથ ધરાશે. આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની 162મી જન્મ જયંતિએ દિલ્હીમાં 11-12 જાન્યુઆરીએ ભારત મંડપમમાં વિકસિત ભારત યુવા નેતા ડાયલોગનું આયોજન કરાશે જેમાં તમામ રાજ્યો, જિલ્લા અને ગામડાનાં આશરે 2000 યુવાનો ભાગ લેશે. મોદીએ કહ્યું કે સરકારમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ કે સિસ્ટમ જ નથી.

આથી લોકોને ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા ફરી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ડિજિટલ એરેસ્ટ એક જુઠ્ઠાણં છે અને લોકોને ફસાવવાનું કાવતરું છે. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે તેઓ વૃધ્ધોને મદદ કરે. દેશમાં ચાલી રહેલા લાઈબ્રેરી અભિયાનની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે આ સંદર્ભમાં ચેન્નઈની પ્રકૃતિ અરિવગમ લાઈબ્રેરીનો ઉલ્લેખ કર્યો હતો.