પૈસા ડબલ કરવાની લાલચ ભારે પડી! અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી
January 10, 2025
અમદાવાદના યુવકે પૈસા ડબલની લાલચમાં રૂ.69 લાખ ગુમાવ્યા
અમદાવાદ- સુરેન્દ્રનગરમાં એકના ડબલ કરી આપવાની સ્કીમમાં અનેક લાલચું ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા પ્રભાકર કનોજીયા નામના યુવકે એકના ડબલની સ્કીમમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. ઘટના એમ છે કે, પ્રભાકરના મિત્રએ સાયલામાં અનિરુદ્ધસિંહ ઝાલા નામનો શખસ એકના ડબલ કરી આપતો હોવાની જાણકારી આપી હતી. આ પછી તેઓ 30 ડિસેમ્બર, 2024ના રોજ અનિરુદ્ધસિંહને મળ્યા ગયા હતા. જેમાં પ્રભાકરે 50 હજાર રૂપિયા આપતા અનિરુદ્ધસિંહે તેના 61 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે, ત્યારબાદ પ્રભાકર વધુ લાલચમાં આવીને બીજા પાસેથી ઉછીના રૂપિયા લઈને અનિરુદ્ધસિંહને 69 લાખ રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં અનિરુદ્ધસિંહે પ્રભાકરને 1.40 કરોડ રૂપિયાની નોટો ભરેલો થેલો આપ્યો હતો. જેમાં પ્રભાકર થેલો લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ થોડે દૂર જઈને પ્રભાકરે થેલામાં ચેક કર્યું તો 500ના કૂપનવાળી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો નીકળી હતી. સમગ્ર ઘટનામાં મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પ્રભાકરે અનિરુદ્ધસિંહ સહિત પાંચ શખસો વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અનિરુદ્ધસિંહે વર્ષ 2023માં રાજકોટના એક વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે એપ્રિલ 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
અમદાવાદ- સુરેન્દ્રનગરમાં એકના ડબલ કરી આપવાની સ્કીમમાં અનેક લાલચું ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા પ્રભાકર કનોજીયા નામના યુવકે એકના ડબલની સ્કીમમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. ઘટના એમ છે કે, પ્રભાકરના મિત્રએ સાયલામાં અનિરુદ્ધસિંહ ઝાલા નામનો શખસ એકના ડબલ કરી આપતો હોવાની જાણકારી આપી હતી. આ પછી તેઓ 30 ડિસેમ્બર, 2024ના રોજ અનિરુદ્ધસિંહને મળ્યા ગયા હતા. જેમાં પ્રભાકરે 50 હજાર રૂપિયા આપતા અનિરુદ્ધસિંહે તેના 61 હજાર રૂપિયા આપ્યા હતા. જો કે, ત્યારબાદ પ્રભાકર વધુ લાલચમાં આવીને બીજા પાસેથી ઉછીના રૂપિયા લઈને અનિરુદ્ધસિંહને 69 લાખ રૂપિયા આપ્યા હતા, જેના બદલામાં અનિરુદ્ધસિંહે પ્રભાકરને 1.40 કરોડ રૂપિયાની નોટો ભરેલો થેલો આપ્યો હતો. જેમાં પ્રભાકર થેલો લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ થોડે દૂર જઈને પ્રભાકરે થેલામાં ચેક કર્યું તો 500ના કૂપનવાળી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો નીકળી હતી. સમગ્ર ઘટનામાં મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પ્રભાકરે અનિરુદ્ધસિંહ સહિત પાંચ શખસો વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અનિરુદ્ધસિંહે વર્ષ 2023માં રાજકોટના એક વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે એપ્રિલ 2024ના રોજ આરોપીની ધરપકડ કરી હતી.
Related Articles
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આ...
May 19, 2026
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શં...
May 18, 2026
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા ને...
May 18, 2026
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની...
May 17, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026