રામ મંદિરમાં 14 દેવાલયોની થશે પ્રાણ પ્રતિષ્ઠા, 101 પૂજારી કરાવશે અનુષ્ઠાન
June 03, 2025
અયોધ્યા ફરી એકવાર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા તૈયાર છે. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રીરામની પવિત્ર નગરી અયોધ્યામાં ફરીથી 3 દિવસ મહાઓયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યાં મંદિર પરિસરમાં રામ દરબાર સહિત અન્ય દેવાલયોની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહની સમાપ્તી 5 જૂને રામ દરબારની પ્રતિષ્ઠા સાથે થશે. જેમાં યુપીના યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ત્રણ દિવસ ખૂબ જ ખાસ છે મહાઆયોજનના ભાગ રૂપે મંગળવાર અને બુધવારે 6:30 વાગ્યાથી 12 કલાક પૂજા, હોમ હવન અને અનુષ્ઠાન કરવામાં આવશે. આ અનુષ્ઠાનમાં 1975 મંત્રો સાથે અગ્નિ દેવતાને આહુતી આપવામાં આવશે. સાથે સાથે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને અન્ય ભક્તિ ભજનનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહનું આયોજન 5 જૂને કરવામાં આવશે. જેમાં રામ દરબાર ( શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની ) પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
સાથે સાથે સાત બીજા દેવી દેવતાઓની મંદિરોમાં સ્થાપના કરવામાં આવશે. રામ જન્મભૂમિમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા દિવસે પંચાંગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જલાધીવાસ અનુષ્ઠાન થશે. શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓનું શુદ્ધિકરણ કરાશે આ તમામ અનુષ્ઠાનનું આજથી જ શરૂ થઇ ચુક્યા છે.
Related Articles
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026