વૃશ્ચિક અને કુંભ સહિત આ 4 રાશિના જાતકોને મળશે પદ અને પૈસા, શનિના નક્ષત્રમાં બુધનું ગોચર
July 15, 2025

બુદ્ધિ, વાણી અને વેપારના કારક અને ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 29 જુલાઈ, 2025ની સાંજે 4:17 મિનિટ પર શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 22 ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં રહેશે. પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ માનવામાં આવે છે, એવામાં બુધના આ ગોચરથી 4 રાશિની કિસ્મત ચમકી જશે.
- મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર પરિવર્તન ખૂબ લાભદાયક હશે. મેષ રાશિના જાતકોને વેપાસ, સંચારમાં વિશેષ લાભ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સિવાય માનસિક સુખ વધશે. વેપારમાં નવી તક મળશે. વાણી અને સંચાર કૌશલમાં બહેતર હશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા થશે અને સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યા ખતમ થશે.
- કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને બુધ ગોચરથી આર્થિક લાભ થશે અને રોકાયેલું ધન પરત મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવા વેપારની શરૂઆત માટે આ સમય ખૂબ સારો માનવામાં આવે છે. પ્રેમ જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. લાંબા સમયથી રોકાણની યોજના પર કામ કરવાનો આ સૌથી સારો સમય છે.
- વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોને બુધનું આ ગોચર વિશેષ લાભ આપનારૂ સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. જૂના રોકાણથી લાભ અથવા દેવાં પરનો બોજ ખતમ થશે. પ્રેમ જીવનમાં સકારાત્મકતા આવશે. અપરિણીતના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિનો વિસ્તાર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો રહેશે.
- કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે આ ગોચરથી વિશેષ લાભ મળી શકે છે. કુંભ રાશિના જાતકોને નોકરીમાં સ્થિરતા અને વેપારમાં વૃદ્ધિનો યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ થશે. પરિવારમાં સુખ અને શાંતિ સ્થાપિત થશે. વિદેશ યાત્રાથી ધન-સંપત્તિનો લાભ થઈ શકે છે. જીવનમાં દરેક તરફથી સફળતા પ્રાપ્ત થશે.
Related Articles
No related articles available!
Trending NEWS

દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગા...
03 September, 2025

સુરતમાં નવું કૌભાંડઃ શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકા...
03 September, 2025

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુર...
03 September, 2025

પાકિસ્તાનના ક્વેટામાં વિસ્ફોટ, 14 લોકોના મોત, 35 ઘ...
03 September, 2025

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગ...
03 September, 2025

અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્...
03 September, 2025

યમુનાનું જળ સ્તર પહેલીવાર 206 મીટરથી ઉપર ગયું, રાજ...
03 September, 2025

રાયપુરના બેબીલોન ટાવરમાં ભીષણ આગ, 7 મા માળ સુધી લો...
03 September, 2025

દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં કુદરત વિફરી :...
03 September, 2025

મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય...
02 September, 2025