આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
September 02, 2026
ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલના જન્મોત્સવનો પાવન પર્વ કૃષ્ણ જન્માષ્ટમી વર્ષ 2026 માં 4 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ, રોહિણી નક્ષત્ર અને મધ્યરાત્રિ 12 વાગ્યે થયો હતો. વર્ષ 2026 માં અષ્ટમી તિથિની શરૂઆત 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2:25 વાગ્યે થશે અને તેનું સમાપન 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:13 વાગ્યે થશે. ઉદયાતિથિ અને મધ્યરાત્રિના જન્મ સમયને ધ્યાનમાં રાખીને 4 સપ્ટેમ્બરે જ જન્માષ્ટમી ઉજવાશે.
આ વર્ષે જન્માષ્ટમી પર એક અત્યંત દુર્લભ અને પવિત્ર સંયોગ બની રહ્યો છે. 4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ અષ્ટમી તિથિની સાથે રોહિણી નક્ષત્રનો યોગ રહેશે અને ચંદ્રમા વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે પણ બિલકુલ આવો જ ગ્રહ-નક્ષત્રોનો સંયોગ બન્યો હતો. આ શુભ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણની સાચા મનથી આરાધના કરવાથી સાધકના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય છે અને સુખ, સૌભાગ્ય તેમજ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હંમેશા મધ્યરાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પૂજા માટેનું સૌથી શુભ મુહૂર્ત 4 સપ્ટેમ્બરની રાત્રે 11:57 વાગ્યાથી શરૂ થઈને 5 સપ્ટેમ્બરની રાત્રે 12:43 વાગ્યા સુધી રહેશે. ભક્તોને પૂજા અને અભિષેક માટે કુલ 46 મિનિટનો શુભ સમય મળશે. આ સમયગાળા દરમિયાન લડ્ડુ ગોપાલનો પંચામૃત અભિષેક, વિશેષ શૃંગાર અને મહાપૂજા કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.
જન્માષ્ટમીના દિવસે ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરી લડ્ડુ ગોપાલને સ્થાપિત કરો. મધ્યરાત્રિએ તેમને પંચામૃતથી સ્નાન કરાવીને નવા વસ્ત્ર, મોરપંખ, મુગટ અને પુષ્પોથી સુંદર શૃંગાર કરો. ત્યારબાદ લડ્ડુ ગોપાલને પારણામાં બિરાજમાન કરી પ્રેમપૂર્વક ઝૂલો ઝુલાવો. કાન્હાને સૌથી પ્રિય એવા માખણ-મિશ્રી, પંજીરી, તુલસીદળ ધરાવેલું પંચામૃત, ફળ, સૂકો મેવો અને મીઠાઈનો ભોગ ધરાવવો. પૂજામાં તુલસીદળનું વિશેષ મહત્ત્વ હોવાથી ભોગમાં તેને અચૂક સામેલ કરવું. અંતમાં મહાઆરતી કરી પ્રસાદનું વિતરણ કરવું.
Related Articles
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, બમ્પર ધન લાભની શક્યતા!
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જા...
Jun 20, 2026
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુ...
Jun 19, 2026
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્યા 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેશે
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્ય...
Jun 19, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026