કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અલ્ટિમેટમ
October 04, 2023

કેનેડા દ્વારા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનાં ખોટા આક્ષેપો પછી બંને દેશ વચ્ચેનાં રાજદ્વારી સંબંધો વધુ વણસી રહ્યા છે. ભારતે વધુ આકરાં પગલાં લઈને કેનેડાનાં 41 રાજદ્વારીઓને 10મી ઓક્ટોબર સુધીમાં દેશ છોડીને કેનેડા પાછા ફરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ભારતમાં હાલ કેનેડાનાં 62 રાજદ્વારીઓ એક યા બીજી રીતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
સરકારનાં જણાવ્યા મુજબ 10મી ઓક્ટોબરની ડેડલાઈન પછી 41 પૈકી કેનેડાનાં જે રાજદ્વારીઓ ભારતમાં રહેશે તેમને મળનારી છૂટ તેમજ સવલતો બંધ કરાશે. 10મી ઓક્ટોબર પછી ભારતમાં કેનેડાનાં 21 રાજદ્વારીઓ જ રહી શકશે. ભારતે બંને દેશમાં રાજદ્વારીઓની સંખ્યા સમાન રાખવાની તરફેણ કરી હતી.
વિયેના સમજૂતી મુજબ કોઈ દેશનાં રાજદ્વારી સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં. તેમની કોઈ ગુનામાં ધરપકડ પણ કરી શકાય નહીં. આમ તમામ દેશનાં રાજદ્વારીઓને મળતી છૂટ તેમજ સવલતો આપવી જરૂરી છે. જો કોઈ રાજદ્વારી અન્ય દેશનાં કાયદાનો ભંગ કરે તો તેમને પોતાનાં દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે જ્યાં તેમની પર કાર્યવાહી ચલાવી શકાય છે.
Related Articles
યુદ્ધવિરામ સમાપ્ત : ઇઝરાયલે ગાઝા પર રોકેટ છોડ્યા, 100થી વધુ લોકોના મોતનો દાવો
યુદ્ધવિરામ સમાપ્ત : ઇઝરાયલે ગાઝા પર રોકે...
Dec 02, 2023
ભારત આવતા અંજુએ આપ્યું ચોકાવનારું નિવેદન : કહ્યું, અરવિંદને છૂટાછેડા આપી બાળકોને પાકિસ્તાન લઈ જઈશ
ભારત આવતા અંજુએ આપ્યું ચોકાવનારું નિવેદન...
Dec 02, 2023
અમેરિકાએ આપી ઈઝરાયેલને ચીમકી : વિઝા નિયંત્રણો લાદવાની યોજનાની તૈયારી
અમેરિકાએ આપી ઈઝરાયેલને ચીમકી : વિઝા નિયં...
Dec 02, 2023
2023 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું : WMOનો ચિંતાજનક રિપોર્ટ
2023 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યું...
Dec 02, 2023
8 બાળકો પેદા કરે મહિલાઓ..', યુદ્ધમાં 3 લાખ સૈનિકો ગુમાવતાં પુટિન અપીલ કરવા મજબૂર
8 બાળકો પેદા કરે મહિલાઓ..', યુદ્ધમાં 3 લ...
Dec 01, 2023
'શિખ્સ ઓફ અમેરિકા' સંસ્થાએ ભારતના રાજદૂતને ગુરુદ્વારામાં પજવનારાની ટીકા કરી
'શિખ્સ ઓફ અમેરિકા' સંસ્થાએ ભારતના રાજદૂત...
Nov 29, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023