કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અલ્ટિમેટમ
October 04, 2023

કેનેડા દ્વારા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનાં ખોટા આક્ષેપો પછી બંને દેશ વચ્ચેનાં રાજદ્વારી સંબંધો વધુ વણસી રહ્યા છે. ભારતે વધુ આકરાં પગલાં લઈને કેનેડાનાં 41 રાજદ્વારીઓને 10મી ઓક્ટોબર સુધીમાં દેશ છોડીને કેનેડા પાછા ફરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ભારતમાં હાલ કેનેડાનાં 62 રાજદ્વારીઓ એક યા બીજી રીતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
સરકારનાં જણાવ્યા મુજબ 10મી ઓક્ટોબરની ડેડલાઈન પછી 41 પૈકી કેનેડાનાં જે રાજદ્વારીઓ ભારતમાં રહેશે તેમને મળનારી છૂટ તેમજ સવલતો બંધ કરાશે. 10મી ઓક્ટોબર પછી ભારતમાં કેનેડાનાં 21 રાજદ્વારીઓ જ રહી શકશે. ભારતે બંને દેશમાં રાજદ્વારીઓની સંખ્યા સમાન રાખવાની તરફેણ કરી હતી.
વિયેના સમજૂતી મુજબ કોઈ દેશનાં રાજદ્વારી સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં. તેમની કોઈ ગુનામાં ધરપકડ પણ કરી શકાય નહીં. આમ તમામ દેશનાં રાજદ્વારીઓને મળતી છૂટ તેમજ સવલતો આપવી જરૂરી છે. જો કોઈ રાજદ્વારી અન્ય દેશનાં કાયદાનો ભંગ કરે તો તેમને પોતાનાં દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે જ્યાં તેમની પર કાર્યવાહી ચલાવી શકાય છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025