કેનેડાના 41 રાજદ્વારીઓને 10મી સુધીમાં ભારત છોડવા અલ્ટિમેટમ
October 04, 2023
કેનેડા દ્વારા ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનાં ખોટા આક્ષેપો પછી બંને દેશ વચ્ચેનાં રાજદ્વારી સંબંધો વધુ વણસી રહ્યા છે. ભારતે વધુ આકરાં પગલાં લઈને કેનેડાનાં 41 રાજદ્વારીઓને 10મી ઓક્ટોબર સુધીમાં દેશ છોડીને કેનેડા પાછા ફરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ભારતમાં હાલ કેનેડાનાં 62 રાજદ્વારીઓ એક યા બીજી રીતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
સરકારનાં જણાવ્યા મુજબ 10મી ઓક્ટોબરની ડેડલાઈન પછી 41 પૈકી કેનેડાનાં જે રાજદ્વારીઓ ભારતમાં રહેશે તેમને મળનારી છૂટ તેમજ સવલતો બંધ કરાશે. 10મી ઓક્ટોબર પછી ભારતમાં કેનેડાનાં 21 રાજદ્વારીઓ જ રહી શકશે. ભારતે બંને દેશમાં રાજદ્વારીઓની સંખ્યા સમાન રાખવાની તરફેણ કરી હતી.
વિયેના સમજૂતી મુજબ કોઈ દેશનાં રાજદ્વારી સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં. તેમની કોઈ ગુનામાં ધરપકડ પણ કરી શકાય નહીં. આમ તમામ દેશનાં રાજદ્વારીઓને મળતી છૂટ તેમજ સવલતો આપવી જરૂરી છે. જો કોઈ રાજદ્વારી અન્ય દેશનાં કાયદાનો ભંગ કરે તો તેમને પોતાનાં દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે જ્યાં તેમની પર કાર્યવાહી ચલાવી શકાય છે.
Related Articles
કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન, પત્ની મિશેલે પણ સાથ આપ્યો
કમલા હેરિસને બરાક ઓબામાનું સમર્થન, પત્ની...
હેરિસે ઝૂમ કૉલ રેકોર્ડ તોડ્યો, 1.64 લાખ મહિલાઓએ 20 લાખ ડોલર ભેગા કરી આપ્યા
હેરિસે ઝૂમ કૉલ રેકોર્ડ તોડ્યો, 1.64 લાખ...
Jul 26, 2024
અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ બનશે તો 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે
અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ બનશે તો 1 કરોડ...
Jul 26, 2024
જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલન, અનેક લોકોનું સ્થળાંતર
જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલન,...
Jul 26, 2024
ભૂખમરાંની ભયાનક સ્થિતિ, ત્રીજા ભાગની વસતી 2023માં સ્વસ્થ આહારથી વંચિત
ભૂખમરાંની ભયાનક સ્થિતિ, ત્રીજા ભાગની વસત...
Jul 26, 2024
પાકિસ્તાનમાં આતંકીઓની નાપાક હરકત, ગર્લ્સ સ્કૂલની આખી ઈમારત બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાડી
પાકિસ્તાનમાં આતંકીઓની નાપાક હરકત, ગર્લ્સ...
Jul 24, 2024
Trending NEWS
25 July, 2024
25 July, 2024
25 July, 2024
25 July, 2024
25 July, 2024
24 July, 2024
24 July, 2024
24 July, 2024
24 July, 2024
24 July, 2024
Jul 26, 2024