વિજયભાઈ રૂપાણીની અંતિમ સફરની શબવાહીની ફૂલોથી શણગારાઈ, આગળ પૂર્વ સીએમનો ફોટો રખાયો

June 16, 2025

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. આજે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. અંતિમદર્શન માટે તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ સફર માટેની શબવાહિની પણ ફૂલોથી શણગારવામાં આવી છે. 

ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે  11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે, પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.  ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.