Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ચીન બ્રહ્મપુત્રા પર ડેમ બનાવીને પાણી રોકશે તો? આસામના CMએ આપ્યો પાકિસ્તાનની ધમકીનો જવાબ

June 03, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર કડક વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધા બાદ પાકિસ્તાનની સ્થિતિ માથાભારે થઈ ગઈ છે. પાકિસ્તાન અવારનવાર આ કરાર અંગે ભારતને ખોખલી ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાને હવે ભારતમાં ભય ફેલાવવા માટે એક નવું જૂઠાણું ફેલાવ્યું છે કે, સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના જવાબમાં અમારો મિત્ર દેશ ચીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ધમકીનો જવાબ તથ્યો સાથે આપ્યો છે, જે પાકિસ્તાનની આંખો ખોલી નાખશે. તેમણે પાકિસ્તાનની આ થિયરીને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ભારતમાં બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ ચીનથી આવતા પાણી પર નિર્ભર કરે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  એક પોસ્ટમાં વિગતવાર જણાવ્યું કે, 'કેવી રીતે બ્રહ્મપુત્રા નદી ભારતમાં આત્મનિર્ભર છે અને તેણે પોતાનો પ્રવાહ જાળવી રાખવા માટે ચીનના પાણી પર નિર્ભર નથી રહેવું પડતું. હિમંતા બિસ્વા સરમાના મતે બ્રહ્મપુત્રાના કુલ પાણીના પ્રવાહમાં ચીન માત્ર 30-35% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે પીગળતી હિમનદીઓ અને મર્યાદિત વરસાદના કારણે.'
તેમણે X પર લખ્યું કે, 'ભારત દ્વારા જ્યારથી સૌથી જૂની અને એકપક્ષીય સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારથી, પાકિસ્તાન એક નવો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જો ચીન બ્રહ્મપુત્રના પાણીને અટકાવે તો શું થશે? ચાલો આપણે આ ખોટી કહાનીને ડરથી નહીં પરંતુ તથ્યો અને રાષ્ટ્રીય સ્પષ્ટતાથી તોડી નાખીએ. બ્રહ્મપુત્ર એક એવી નદી છે જે ભારતમાં વધે છે, ઘટતી નથી. ચીન બ્રહ્મપુત્રના કુલ પાણીના પ્રવાહમાં માત્ર 30-35% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે હિમનદીઓ પીગળવા અને મર્યાદિત વરસાદથી. બાકીનું 65-70% પાણી ભારતમાં જ ઉત્પન્ન થાય છે.' તેમણે આનું કારણ પણ જણાવ્યું. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, 'અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં મૂશળધાર વરસાદ. પ્રમુખ સહાયક નદીઓ: સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી, કોપિલી, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડોમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારુ, કુલસી વગેરે સહાયક નદીઓ ભારતની બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત છે. ભારત-ચીન સરહદ પર બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ 2,000–3,000 ઘન મીટર/સેકન્ડ રહે છે, જ્યારે ગુવાહાટી જેવા આસામના મેદાનોમાં ચોમાસા દરમિયાન આ પ્રવાહ 15,000–20,000 ઘન મીટર/સેકન્ડ થઈ જાય છે.