તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો

April 08, 2026

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં મકાન તોડવા પહોંચેલા તંત્ર સામે પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ ગળે ફાંસો લાધો. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બે લોકોને બચાવી લીધા, બીજી તરફ એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં શહેરના મેજિસ્ટ્રેટ પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. 

શાહજહાંપુરના જલાલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મગટોરા ગામના મજરેતામાં મંગળવારે બપોરે જ્યારે વહીવટીતંત્રની ટીમ ચકરોડ પર મકાન હોવાની વાત કહીને બુલડોઝર લઈને  તોડવા પહોંચી ત્યારે હોબાળો મચી ગયો હતો. કાર્યવાહી દરમિયાન વિરોધમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ પોતાના ઘરની નજીક જ એક ઝાડ પર ફાંસો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક બે લોકોને ઉતારીને બચાવી લીધા હતા, જ્યારે ત્રીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.