નાગપુરમાં નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

March 17, 2025

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર તેમણે જે કહ્યું તે નિવેદનને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે જાતી અને ધર્મ વિશે કહ્યું, 'જો કોઈ જાતિ વિશે વાત કરશે, તો હું તેને સખત લાત મારીશ.' 

ગડકરીએ લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં કહ્યું, 'હું જાહેરમાં ધર્મ અને જાતિ વિશે વાત નથી કરતો. સમાજ સેવા ટોચ પર છે. હું ચૂંટણી હારીશ કે મારું મંત્રી પદ હારીશ તો પણ હું આ સિદ્ધાંત પર અડગ રહીશ. જો મને મંત્રી પદ નહીં મળે તો હું મરી નહીં જઉં..

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં કહ્યું કે તેઓ જાહેરમાં ધર્મ અને જાતિ વિશે વાત કરતા નથી. તેમનું માનવું છે કે લોકો સમાજ સેવાને બીજા બધાથી ઉપર રાખે છે. ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જે કહ્યું હતું તેને યાદ કરતાં ગડકરીએ કહ્યું હતું કે જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ. તેમણે એમ પણ કહ્યું કે ભલે તેઓ ચૂંટણી હારી જાય અથવા તેમનું મંત્રી પદ હારી જાય તો પણ તેઓ પોતાના સિદ્ધાંત પર અડગ રહેશે. ગડકરીએ એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી.