અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો
February 06, 2026
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોહિત પવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. બારામતીમાં મીડિયા સાથે વાતચીત કરતા રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, પક્ષના તમામ ધારાસભ્યો, કાર્યકરો અને આખો પવાર પરિવાર ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે.
અજિત પવાર ઈચ્છતા હતા કે એનસીપીનો વિલય થઈ જાય અને એના માટે એમણે તૈયારીઓ પણ કરી લીધી હતી. એવામાં પક્ષના વિલય અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા તેમણે જણાવ્યું કે, અજિત પવારના નિધન બાદ હાલ પરિવાર શોકમાં છે, તેથી અત્યાર સુધી વિલય અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. પરંતુ, 13 દિવસનો શોક સમયગાળો પૂર્ણ થયા બાદ, એટલે કે 9 ફેબ્રુઆરી પછી, સુનેત્રા કાકી પોતે આ મુદ્દે જાહેરમાં પોતાની વાત રજૂ કરશે. રોહિત પવારે અજિત પવારના આકસ્મિક નિધન પાછળના કારણો અંગે પણ ગંભીર સંકેતો આપ્યા છે. જે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત થયું, તેને લઈને રોહિત પવારે જણાવ્યું કે તેમની પાસે કેટલીક આંતરિક માહિતી છે અને તેઓ DGCA પાસેથી વધુ વિગતો માંગી રહ્યા છે.
9 ફેબ્રુઆરી પછી તેઓ સ્પષ્ટ કરશે કે વિમાનની અંદર વાસ્તવમાં શું બન્યું હતું. તેમણે આ મુદ્દે કોઈ ષડયંત્ર કે તોડફોડની આશંકાઓને નકારી નથી અને સત્ય સામે લાવવાની ખાતરી આપી છે. આ સાથે જ તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ અજિત પવારની અંતિમ ઈચ્છાને સમજવાને બદલે આ ગંભીર પરિસ્થિતિને રાજકીય રંગ આપી રહ્યા છે.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026