Breaking News :
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત આસામ-અરુણાચલમાં મેઘતાંડવ ભયાનક ભૂસ્ખલન બાદ રોડ-રસ્તા ધરાશાયી કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત બાદ કારકિર્દીના અંતિમ દાવમાં બેટિંગની શરૂઆત કરી, 30 રન બનાવી આઉટ પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે

તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

November 30, 2025

શિવગંગા- તમિલનાડુના શિવગંગા જિલ્લાના થિરૂપથુર નજીક રવિવારે બે સરકારી બસો વચ્ચે ટક્કર થઈ ગઈ, જેમાં 12 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં અંદાજિત 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, એક બસ કરાઈકુડી જઈ રહી હતી. જ્યારે બીજી મદુરૈ જઈ રહી હતી, ત્યારે તિરુપથુર નજીક રોડ પર બંને બસો ટકરાઈ ગઈ. ટક્કર બાદ અનેક મુસાફરો ફસાઈ ગયા, પરંતુ સ્થાનિકો અને ઈમરજન્સી ટીમોએ તેમને બહાર કાઢ્યા. ઈજાગ્રસ્તોને શિવગંગા સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે. તમિલનાડુમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન બીજી વખત આવો બનાવ બન્યો છે, જ્યારે બે બસ એકબીજા સાથે ટકરાઈ ગઈ, જેમાં અનેક લોકોના મોત થયા. રાજ્યના તેનકાસી જિલ્લામાં સોમવાર (23 નવેમ્બર, 2025)ના રોજ બે બસ ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા, જ્યારે 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.