અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
February 08, 2026
અરવલ્લી -ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે. જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલાના થોડા સમય પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જો કે, આ સમાધાન માત્ર દેખાડા પૂરતું હતું, સમાધાન બાદ પણ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને યુવકોની રેકી કરી હતી. જ્યારે આ યુવકો વરઘોડામાં આવ્યા હતા ત્યારે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ શખ્સોએ તેમને આંતરીને જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.
ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પથ્થરમારો કર્યો હતો જેમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાશે. હાર્દિકના અકાળે મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં ગમગીની છે . હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Related Articles
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
Trending NEWS
10 May, 2026