અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
February 08, 2026
અરવલ્લી -ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે. જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલાના થોડા સમય પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જો કે, આ સમાધાન માત્ર દેખાડા પૂરતું હતું, સમાધાન બાદ પણ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને યુવકોની રેકી કરી હતી. જ્યારે આ યુવકો વરઘોડામાં આવ્યા હતા ત્યારે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ શખ્સોએ તેમને આંતરીને જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.
ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પથ્થરમારો કર્યો હતો જેમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાશે. હાર્દિકના અકાળે મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં ગમગીની છે . હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Related Articles
સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 5થી વધુના મોત, એક બસ આગનો ગોળો બની
સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્...
Jun 02, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ...
Jun 02, 2026
વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનુ...
Jun 02, 2026
અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા
અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોન...
Jun 02, 2026
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની જોગવાઈ
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો...
Jun 01, 2026
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્...
May 29, 2026
Trending NEWS
02 June, 2026
02 June, 2026
02 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026
01 June, 2026