60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ વધી શકે!

February 12, 2025

મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતાં. મહાશિવરાત્રિ પર એક મોટો દુર્લભ સંયોગ રહેશે. આ દિવસે લગભગ 60 વર્ષો બાદ ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી રહેશે.

જ્યોતિષવિદોનું કહેવું છે કે દુર્લભ સંયોગ ત્રણ રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે. 

મહાશિવરાત્રિથી તમારો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. મનની તમામ ઈચ્છાઓ પૂરી થશે. ધનની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો આવશે. તમારી મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે.

મિથુન

આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળશે. સંબંધો મજબૂત થશે. દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. માન સન્માનમાં વધારો થશે.

સિંહ

જીવનમાં નવી ખુશીઓનું આગમન થવાનું છે. રોકાણ કરનાર માટે આ સમય ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. આરોગ્ય સારું રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદથી તમને રાહત મળી શકે છે. રોકાયેલા કે અટકેલા રૂપિયા પણ તમને મળી શકે છે.