મોહનથાળ બાદ હવે શ્રીફળનો વિવાદઃ પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ
March 14, 2023
હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બંધ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છે ત્યારે હવે પાવાગઢ મંદિરેથી પણ ટ્રસ્ટ દ્વારા લેવાયેલા વિવાદાસ્પદ નિવેદનના લીધે વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટનો વિવાદાસ્પદ નિર્ણય સામે આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે. મંદિરમાં છોલેલું નારિયેળ લઈ જવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરના નિર્ણયથી વેપારીઓ અને શ્રદ્ધાળુઓ પરેશાન થયા છે. આ સાથે ટ્રસ્ટે એમ પણ કહ્યું કે જો વેપારીઓ છોલેલું નારિયેળ વેચશે તો પણ તેમને દંડ કરવામાં આવશે. જો કે કેટલો દંડ કરવામાં આવશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સિવાય એવું પણ કહેવાયું છે કે માતાજીને આખું નારિયેળ ધરાવીને ઘરે લઈ જવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે.
Related Articles
દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોંધાશે, પ્રિસાઈડિંગ ઓફિસર સામે પણ કાર્યવાહીના ચૂંટણી પંચના સંકેત
દાહોદમાં બુથ કેપ્ચરિંગની ઘટનામાં FIR નોં...
ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા, એકની તીવ્રતા 3.7 અને બીજાની 3.4 નોંધાઈ
ગીર સોમનાથમાં ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના...
May 08, 2024
ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે! 11થી 13 મે વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે : હવામાન વિભાગ
ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે! 11થી 13 મે...
May 08, 2024
'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ EVM કેપ્ચર કરીને વીડિયો લાઈવ કર્યો
'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતા...
May 08, 2024
PM મોદીએ અમદાવાદમા્ં કર્યુ મતદાન : બાળકોને આપ્યા ઓટોગ્રાફ,વ્હાલ પણ વરસાવ્યુ
PM મોદીએ અમદાવાદમા્ં કર્યુ મતદાન : બાળકો...
May 07, 2024
બિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં આવતા સુરતના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદાન માટે ઘસારો
બિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં...
May 07, 2024
Trending NEWS
08 May, 2024
08 May, 2024
May 08, 2024