Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત

June 13, 2025

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જેની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઇ.

એર ઇન્ડિયાએ X પર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. અમને જણાવતા દુઃખ થાય છે કે ફ્લાઇટ AI171માં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ મુસાફર જીવિત બચી શક્યો. બચાવના પ્રયાસો પૂર્ણ થયા છે અને અધિકારીઓ હવે પીડિતોની ઓળખ અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.