ઈરાનમાં ફસાયેલા 10 હજાર ભારતીયોને બચાવવાનો વાયુસેનાનો માસ્ટર પ્લાન

June 18, 2025

ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના પુરા પ્રયત્નો કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાયુસેનાના એર ક્રાફ્ટ આર્મેનિયા અથવા બીજા પાડોશી દેશોમાં જઈ શકે છે. જ્યાં ભારતીયોને જવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે યુદ્ધના કારણે ઈરાનનું એર-સ્પેશ બંધ કરવામાં આવ્યું છે. 

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવી વિષમ પરિસ્થિતઓમાં ભારતીય વાયુસેનાનો એરલિફ્ટ પ્લાન પંમેશા તૈયાર જ હોય છે. આ રીતના મિશન માટે વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર, આઈએલ-76 અને સી-130જે સુપર હરક્યુલિસ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 

ઈરાનમાં 10 હજાર ભારતીયો છે. જેમને સુરક્ષિત બહાર કાઢવાની જરુર છે. જેમાંથી મોટા ભાગના જમ્મુ-કાશ્મીરમાં રહેનારા વિદ્યાર્થીઓ છે. જે ભણવા માટે ઈરાન ગયા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ તમામ  ભારતીયોને જલ્દીમાં જલ્દી ઈરાનની રાજધાની છોડીને સુરક્ષિત સ્થળો પર જવાનું એલર્ટ આપ્યું છે. આ સાથે ઈરાનના પાડોશી દેશ આર્મેનિયા જવા માટે પણ કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જરુરિયાત જણાશે તો સરકાર આર્મેનિયાથી એર લિફ્ટ કરી શકે છે.