રામલલાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજને ઝટકો, અમેરિકાએ વિઝા આપવા કર્યો ઈનકાર
August 14, 2024
અયોધ્યા : અયોધ્યાના રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારા પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વીઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. આ માટે અમેરિકાએ કોઈ ઠોસ કારણ પણ નથી જણાવ્યું. યોગીરાજને 12મી AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં સામેલ થવા માટે અમેરિકા જવાનું હતું. આ કોન્ફરન્સ 30 ઓગષ્ટથી એક સપ્ટેમ્બર વચ્ચે વર્જીનિયાના રિચમંડ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાની હતી.
અરુણ યોગીરાજના પરિવારે વિઝા ન મળવા પર નિરાશા વ્યક્ત કરી છે. કૌટુંબિક સૂત્રોનું કહેવું છે કે, અરુણની પત્ની વિજેતા અગાઉ પણ અમેરિકા જઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં અરુણને વિઝા આપવાનો ઈનકાર કરવો ખૂબ જ નિરાશાજનક છે. શિલ્પકાર અરુણે અમેરિકા જવા માટે તમામ તૈયારીઓ પણ પૂરી કરી લીધી હતી.
અરુણ યોગીરાજે પણ અમેરિકા દ્વારા વીઝા આપવાનો ઈનકાર કર્યો હોવાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે, મને કોઈ કારણ નથી ખબર પરંતુ અમે વિઝા સંબંધિત તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સનું વર્ષમાં બે વાર આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં રહેતા સમુદાયના સભ્યોને એક સ્થળે લાવવાનો છે.
Related Articles
ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906માં કોલકતા ખાતે ફરકાવાયો હતો
ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906માં...
આતંકી હુમલાને લઇને એક્શનમાં સરકાર, રાજનાથ સિંહે બોલાવી બેઠક
આતંકી હુમલાને લઇને એક્શનમાં સરકાર, રાજના...
Aug 14, 2024
કેજરીવાલ માટે બેડ ન્યૂઝ, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા
કેજરીવાલ માટે બેડ ન્યૂઝ, સુપ્રીમ કોર્ટે...
Aug 14, 2024
બંધ રૂમમાં જવાબો લખાવી રહ્યા હતા, પોલીસે દરોડો પાડી પ્રિન્સિપાલ સહીત 12ને ઝડપ્યાં, 18 લાખ જપ્ત
બંધ રૂમમાં જવાબો લખાવી રહ્યા હતા, પોલીસે...
Aug 14, 2024
સુપ્રીમમાં અરજી : અદાણી ગ્રૂપ સામે પેન્ડિંગ તપાસ ટૂંક સમયમાં પૂરી કરવા માંગ
સુપ્રીમમાં અરજી : અદાણી ગ્રૂપ સામે પેન્ડ...
Aug 14, 2024
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: દેશમાં ડૉક્ટરની હડતાળ સમેટાઇ, સરકારે માંગો સ્વીકારી
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: દેશમાં ડૉક્ટ...
Aug 13, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 14, 2024