જેમણે અલગ રાષ્ટ્ર તરીકે ઓળખ આપી, તેમનું જ અપમાન કરાયું ઃ શેખ હસીના

August 13, 2024

દિલ્હી ઃ બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ વડાંપ્રધાન છોડીને ભાગવા મજબૂર હસીનાનું રાજીનામાં બાદ પહેલું નિવેદન આવ્યું છે. તેમણે તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું અપમાન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે. 
શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જૉયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેખ હસીનાનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે બાંગ્લાદેશીઓને અપીલ કરી છે કે 15મી ઓગસ્ટે ગરિમા અને ગંભીરતા સાથે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવે. બંગબંધુ ભવનમાં પુષ્પ માળા અર્પણ કરી તમામ આત્માઓની મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવે. 

શેખ હસીનાએ કહ્યું છે, કે '15 ઓગસ્ટ 1075ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની હત્યા કરવામાં આવી. તે સમયે મારી માતા, 10 વર્ષના શેખ રસેલ સહિત મારા ત્રણેય ભાઈઓની પણ નિર્મમ હત્યા કરવામાં આવી. લકવાગ્રસ્ત કાકા અને સ્વતંત્રતા સેનાની શેખ નાસીરને પણ ન છોડ્યા. 15 ઓગસ્ટે શહીદ થયેલ તમામ લોકોની આત્માને શાંતિ મળે તેવી મારી પ્રાર્થના.' 
તેમણે વધુમાં કહ્યું છે, કે 'જુલાઇથી અત્યાર સુધીમાં આંદોલનના નામે તોડફોડ, આગચંપી અને હિંસામાં જીવ ગુમાવનાર તમામ લોકોની આત્માને શાંતિ મળે તે માટે હું પ્રાર્થના કરું છું. આ હિંસામાં જેમણે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું માંગ કરું છું કે હત્યા અને તોડફોડમાં સામેલ તમામ દોષિતોને કડક સજા આપવામાં આવે.