Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની 'ટ્રેપ'!

June 14, 2026

રોજમરા કામ માટે પણ લાખોની માંગણી: વર્ગ - 1 અધિકારીઓ પણ બાકાત નથી


ગાંધીનગર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક વરવું સત્ય બહાર આવ્યું છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ સુધીના વિભાગોમાં ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ બની રહ્યું છે. ગયા વર્ષે 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો સૂચવે છે કે ભ્રષ્ટાચારની આ ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.

ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. તેમની તપાસ દરમિયાન 2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી, જે દર્શાવે છે કે સત્તાના જોરે કેવી કમાણી કરવામાં આવે છે. આ માત્ર મોટા અધિકારીઓ પૂરતું મર્યાદિત નથી, જન્મના દાખલાથી લઈને બીલ પાસ કરાવવા સુધીના પાયાના કામોમાં પણ તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ કમિશન માંગી રહ્યા છે. આણંદમાં તો બે મહિલા પોલીસ કર્મીઓ પણ 1.10 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી.
આંતરિક નિરીક્ષણનો અભાવ: સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે આ અધિકારીઓ નિર્ભય છે? એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ત્યારે જ એક્શનમાં આવે છે, જ્યારે કોઈ ફરિયાદ કરે, પરંતુ સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર હોય તેવું દેખાતું નથી. શિસ્તભંગના પગલાં લેવામાં થતો વિલંબ અને કોર્ટમાં નીચો કન્વિક્શન રેટ (સજાનો દર) ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે.